રાજકોટ તા.10
ગોંડલ મુકામે માર્કેટ યાર્ડમાં પડાળીયા બ્રધર્સના નામથી પેઢી ધરાવી ખેતપેદાશના જનરલ મર્ચન્ટ અને કમીશન એજન્ટ તરીકે ધંધો કરતા અનીલભાઈ ગાંડુભાઈ પડાળીયાએ રૂા.16 લાખના માલનું ઉધાર વેચાણ રાજકોટ મુકામે શ્રધ્ધા એન્ટરપ્રાઈઝના નામથી પેઢી ધરાવતા લક્ષ્મીચંદ ઉર્ફે સોનુભાઈ તિરથદાસ થાવરાણીને કરેલું.
જે રકમ ચુકવવા શ્રધ્ધા એન્ટરપ્રાઈઝ દ્વારા રૂા.13 લાખનો ચેક પડાળીયા બ્રધર્સને આપવામાં આવેલો. જે ચેક પરત ફરતા નોટીસ પાઠવી છતા રકમ ન ચુકવતા શ્રધ્ધા એન્ટરપ્રાઈઝ વિરૂધ્ધ ગોંડલ કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી.
કેસ ચાલી જતા ફરીયાદી પડાળીયા બ્રધર્સ તરફે તેના વકીલ નિરંજય એસ. ભંડેરીએ કાયદા અને હકીકતના મુદાઓ ઉપર વિસ્તૃત રજુઆતો કરી હતી. રજુઆતો સાથે સહમત થઈ ગોંડલના એડી. ચીફ જયુડી. મેજી. આર્ય રામકુમારએ આરોપી શ્રધ્ધા એન્ટરપ્રાઈઝના વહીવટકર્તા લક્ષ્મીચંદ ઉર્ફે સોનુભાઈ થાવરાણીને બે વર્ષની જેલની સજા તથા ચેકની રકમ રૂા.તેર લાખની બમણી રકમ રૂા. છવ્વીસ લાખનો દંડ અને દંડની રકમ વળતર પેટે ફરીયાદીને ચુકવી આપવા હુકમ ફરમાવેલ છે.
આ કેસમાં ફરીયાદી પડાળીયા બ્રધર્સ તરફે ભંડેરી એડવોકેટ ગોંડલના વકીલ નિરંજય એસ. ભંડેરી, પ્રજ્ઞા એન. ભંડેરી, શિવલાલ પી. ભંડેરી તથા રવિરાજ પી. ઠકરાર રોકાયેલા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy