રાજકોટ, તા.7
રાજકોટની કોલેજીયન યુવતીએ પોતાના વતન જસદણના કાળાસર ગામે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. 19 વર્ષીય પ્રિયા સાકળીયા વેકેશન હોવાથી પોતાના ઘરે હતી. આપઘાતનું કારણ જાણવા ન મળતા જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ પ્રિયા દેહાભાઈ સાકરીયા (ઉં. વ. 19, રહે. કાળાસર ગામ, તાલુકો જસદણ)એ ગઈકાલે સવારે પોતાના ઘરે વાડીએ કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતા તુરંત પ્રિયાને કુવામાંથી બેભાન હાલતમાં બહાર કાઢી 108ને જાણ કરતા સ્થળ પર જ પ્રિયાબેનને મૃત જાહેર કરાયા હતા.
બનાવની જાણ જસદણ પોલીસને થતા પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પ્રથમ જસદણ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસ સૂત્રએ જણાવ્યું કે, પ્રિયા રાજકોટ ખાતે કોલેજમાં અભ્યાસ કરતી હતી. વેકેશન હોવાથી ઘરે આવી હતી.
તેમના માતા પિતા ખેતી કામ કરે છે. કાળાસર ગામે વાડી વિસ્તારમાં તેમનો પરિવાર રહે છે. પ્રિયા ગઈકાલે 10.55 વાગ્યા આસપાસ પોતાની વાડી હતી ત્યારે જ કુવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો.
પોલીસે પ્રિયાના માતા પિતાની પૂછપરછ કરી હતી પરંતુ આપઘાત અંગે કોઈ કારણ જાણવા મળ્યું નહોતું જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy