રાજકોટ,તા.21
પશ્ચિમ રેલ્વેના બીલીમોરા-અમલસાડ રેલ ખંડ માં એન્જિનિયરિંગ કાર્ય માટે 4 કલાક 30 મિનિટનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. વિગતો નીચે મુજબ છે.
1. 21 એપ્રિલ, 2025 ના રોજ પોરબંદરથી ઉપડનારી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ને 2 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે.
2. 22 એપ્રિલ, 2025 ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નં. 20968 પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ ને 2 કલાક 30 મિનિટ રીશેડ્યુલ કરવામાં આવશે.
3. 22 એપ્રિલ, 2025 ના રોજ દાદરથી ઉપડતી ટ્રેન નં. 19015 દાદર - પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગ માં 01 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.
ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy