અયોધ્યા તા.19
અત્રે રામ મંદિરનાં પ્રથમ માળે રામ દરબારનાં ગર્ભગૃહમાં સ્થાપિત થનારી મુર્તિઓનું નિર્માણ જયપુરમાં થઈ ચુકયુ છે. આ મુર્તિઓને ઝડપથી અયોધ્યામાં લાવવામાં આવશે.
આરસ પહાણમાં બનેલી આ મુર્તિઓમાં ભગવાન રામ, માતા સીતા ઉપરાંત ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન અને હનુમાનજીની પ્રતિમા છે તેને ગર્ભગૃહમાં બનેલ પ્લેટફોર્મમાં સિંહાસન પર સ્થાપિત કરવામાં આવશે.
મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટી ડો.અનિલ મિશ્રે જણાવ્યું હતું કે રામ દરબાર સહિત અન્ય 13 મંદિરોમાં બિરાજમાન થનાર દેવી-દેવતાઓ ઋષિ મુનિઓની મુર્તિઓ બનીને તૈયાર થઈ ગઈ છે.જેમાં કમ્પાઉન્ડ વોલની 6, મંદિરો અને સપ્ત ઋષિ મંદિરોની 7 મુર્તિઓ અયોધ્યા પહોંચી ગઈ છે.
હવે 3 જુનથી 5 જુન સુધી મંદિર પરિસરમાં ચાલનારા પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન દરમ્યાન રામ દરબાર સહિત અન્ય મંદિરોમાં સ્થાપિત મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા 101 વૈદિક આચાર્ય કરશે. હાલમાં મંદિરનું નિર્માણ કાર્ય અંતિમ દોરમાં ચાલતુ રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy