રાજકોટ, તા.25
શહેરની મવડી ચોકડીએ આવેલ શ્રીનાથજી સોસાયટી શેરી નં.3માં રહેતા રમેશભાઈ કરશનભાઈ કુંભારવાડીયા (ઉંમર વર્ષ 52)નું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું.રમેશભાઈ આજે સવારે ઊઠી પોતાના ઘરે વહેલી સવારે 5:00 વાગે દાતણ પાણી કરતા હતા.
ત્યારે અચાનક જ બેભાન થઈ ઢળી પડ્યા હતા. પરિવારજનોને જાણ થતા તત્કાલ તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા.
પરિવારજનોએ જણાવ્યું કે, રમેશભાઈ કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકીની પાસે પાનની દુકાન ચલાવતા હતા. તેઓ બે ભાઈ એક બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે. રમેશભાઈના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો. માલવીયા નગર પોલીસે મૃતદેહને પીએમમાં ખસેડવા તજવીજ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy