મુંબઈ,તા.9
‘ઓપરેશન સિંદૂર’ મિશનથી ભારતે પાકિસ્તાનની આતંકી અડ્ડાઓ અને આતંકીઓનો ખાત્મો બોલાવ્યાની ઘટના પર ફિલ્મ બનાવવા નિર્માતાઓમાં હોડ મચી છે ત્યારે ઓપરેશન સિંદૂરનો ટ્રેડમાર્ક મેળવવા રિલાયન્સે કરેલા આવેદનનની મીડિયામાં ટિકા થઈ હતી જેના પગલે રિલાયન્સે પોતાનું આવેદન પાછુ ખેંચ્યાની જાહેરાત કરી છે. જિયો સ્ટુડિયોએ આજે સત્તાવાર આ મામલે જાહેરાત કરી છે.
‘ઓપરેશન સિંદૂર’ મહાવરો આજે ભારતીય સેનાની બહાદૂરીનો પ્રતીક બની ગયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના યુનીટ જિયો સ્ટુડિયોએ જણાવ્યું હતું કે, ટ્રેડમાર્ક માટેનું આવેદન જૂનિયર વ્યકિત દ્વારા મેનેજમેન્ટની મંજૂરી વિના ફાઈલ કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂર એ ભારતીય સેનાના વાયુદળ દ્વારા આતંકવાદના દૈત્ય સામેની લડાઈ બહાદુરીપૂર્વકની લડાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ‘ઓપરેશન સિંદૂર’ના ટ્રેડમાર્ક માટે મુંબઈના મુકેશ ચેતરામ અગ્રવાલ, નિવૃત ઈન્ડિયન એરફોર્સ ઓફિસર ગ્રુપ કેપ્ટન કમલ સિંહ ઓબેરોય અને દિલ્હીના વકીલ આલોક કોઠારીએ પણ આવેદન કયુર્ં હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy