નવી દિલ્હી, તા.20
વિવાદા સ્પદ વિધાનો કરીને એક બાદ એક અદાલતી મુકદમાનો સામનો કરી રહેલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સામે બદનક્ષીભર્યા વિધાનોના કેસમાં સુપ્રિમ કોર્ટે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી સામે સ્ટે આપ્યો છે. ભાજપના નેતા નવીન ઝાએ કરેલા કેસમાં એવો આરોપ મુકાયો હતો કે 2018ના કોંગ્રેસના અધિવેશન દરમ્યાન રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યાના આરોપી તરીકે ગણાવ્યા હતા.
રાહુલ ગાંધીએ આ અંગેનો તેમની સામે કરાયેલો કેસ રદ કરવા ઝારખંડ હાઇકોર્ટમાં ફેબ્રુઆરી-2024માં કરેલી અરજી નકારાઇ હતી. રાહુલ ગાંધીએ એવી દલીલ કરી હતી કે તેઓએ જે શબ્દોનોે ઉપયોગ કર્યો છે તે રાજકીય પ્રકારના છે અને તેમાં બદનક્ષીનો કોઇ ઇરાદો ન હતો. જો કે 2019માં આ મુદ્ો ફરી એક વખત ચગ્યો હતો અને રાહુલ ગાંધી સામેના કેસમાં એવો આક્ષેપ થયો હતો કે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી રીતે વિધાનો કર્યા છે. જે સામે હવે સુપ્રિમ કોર્ટમાં રાહુલ ગાંધીની અરજીમાં અદાલતી કાર્યવાહી સામે સર્વોચ્ચ અદાલતે સ્ટે આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે એવું નિરીક્ષણ કર્યું કે સમગ્ર જે બાબત છે તે ચકાસણીની જરૂર છે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ વિક્રમનાથની ખંડપીઠે અરજદારને તેનો જવાબ રજુ કરવા જણાવ્યું હતું અને હાલ દેશની ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર સ્ટે મુકી દીધો છે. જેમાં હવે આગામી સપ્તાહમાં સુનાવણી થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy