(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 30
અમદાવાદથી મુળી તરફ જતી એક રિક્ષાએ આજે લખતર-વિરમગામ હાઇવે પર અકસ્માત નોંધાવ્યો છે. ઓળક અને કડુ વચ્ચેના માર્ગ પર રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન રોડની સાઇડમાં આવેલી ગટરમાં ખાબક્યું હતું.
અકસ્માતમાં રિક્ષામાં સવાર ચાર મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. રાહદારીઓએ તરત જ લખતર 108ને જાણ કરી હતી. પાઇલોટ ગણપત અને ઇએમટી પરેશની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ઈજાગ્રસ્તોમાં જયંતી દાના રાઠોડ, રમણ દાના રાઠોડ, વિમળાબેન રમણ અને નીતાબેન જયંતિનો સમાવેશ થાય છે. તમામને પ્રથમ લખતર સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
લખતર-વિરમગામ હાઇવે પર છેલ્લા કેટલાક સમયથી નાના-મોટા અકસ્માતો સતત બની રહ્યા છે. અનેક લોકોને ઈજાઓ થઈ છે અને કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે. આ હાઇવે પરના વધતા અકસ્માતોને કારણે વાહન ચાલકોમાં ચિંતાનું વાતાવરણ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy