(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)
ધોરાજી તા.15
ધોરાજીના જુનાગઢ રોડ પર ઓવરબ્રીજના ચાલતા કામના પગલે ડાયવર્ઝન જુનાગઢ રોડ પર કાઢવામાં આવેલ છે. જેના કારણે વાહન ચાલકલેને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ પ્રશ્ને આજે ધોરાજી હીસ સમીતી દ્વારા જુનાગઢ રોડના રહીશો, પ્લાસ્ટીકના કારખાનેદારો, વેપારીઓને સાથે રાખી જુનાગઢ રોડ પર રસ્તારોકો આંદોલન કરી ચકકાજામ કરી દેવામાં આવેલ છે.
આ તકે ધોરાજી હીત સમીતીના હોદેદારોએ જણાવેલ હતું કે પ્લાસ્ટીક ઉદ્યોગ કામદારો, રીક્ષા, ટ્રક, ચાલકોને આ રોડ પરથી પસાર થવામાં મુશ્કેલી પડે છે. રહેણાંક વિસ્તારોના મકાનોમાં રોજ ધૂળની ડમરી, એમ્બ્યુલન્સને જવામાં તકલીફ પડે છે. ફાયરબ્રીગેડને જવામાં તકલીફ પડે છે.
ધોરાજી હીત સમીતી દ્વારા વિવિધ બેનરો સાથે આજે રસ્તા રોકો આંદોલન કરી વૈકલ્પીક ફાટક કરી આપવાની તેવી માંગ સાથે સુત્રોચ્ચાર કરવામાં આવેલ હતા. આ વૈકલ્પીક ફાટક કરવામાં નહી આવે તો આવનારા સમયમાં ફરી આંદોલન કરવામાં આવશે તેવું હીતરક્ષક સમિતિ દ્વારા જણાવવામાં આવેલ હતું.
હાલ કેનાલ પાસે ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે. ત્યાં ઘણા બધા ખેતરો પણ આવેલા છે ત્યાં ઉભા પાકને ધુળના કારણે નુકશાન પહોંચી રહ્યું છે. આમ આ ઓવરબ્રીજના કામથી જુનાગઢ રોડ પર લતાવાસીઓ ત્રાહીમામ પોકારી ગયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy