ભાયાવદર, તા.28
ભાયાવદર શહેરમાં સાગર ચોકથી રેલવે સ્ટેશન સુધી આઇકોનીક નવો રોડ અને ફૂટપારીઓ તેમજ શહેરની શોભા વધે તેવા ઇલેક્ટ્રિક થાંભલા સહિતની કામગીરીમાં લોટ પાણીને લાકડા જેવો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામેલ આવ્યો હોવાના વિપક્ષે આક્ષેપો કર્યા છે.ફૂટપાથમાં ફિટ કરેલા બ્લોક જમીનમાં બેસવા લાગ્યા, સિમેન્ટનો નજીવો વપરાશ કરાયો છે.
સાગર ચોકથી રેલવે સ્ટેશન સુધી એક આઇકોનીક રોડ અને ફૂટપારી બનાવવામાં માટે વહીવટદાર શાસન દરમિયાન નગરપાલિકાને અંદાજે 1 કરોડ જેવી ગ્રાન્ટ સરકાર દ્વારા મંજુર થઈ હતી જેમાં બંને સાઈડની ફૂટપારી અને ઇલેક્ટ્રીક કામમાં લોટ પાણી અને લાકડા જેવું કામ કરી કોન્ટ્રાકટર દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવું ચિત્ર સામે આવીને ઊભું રહ્યું છેં.
અમુક જગ્યામાં જૂની ફૂટપારીઓ રાખી દેવામાં આવી છે. અને તેમાં કાંકરી અને સિમેન્ટ નાખ્યા વગર પથ્થર એમ ને એમ મૂકીને વાટા કરી દીધા છે. ઈલેક્ટ્રિક વાયરમાં જે કવર મુકવામાં આવે છે તે સાવ નબળી ગુણવત્તા વાળા વાપરવામાં આવ્યાંછે. આથી ગમે ત્યારે શોર્ટસર્કિટની સંભાવના વધી જાય છે.
તેથી જો આ આઇકોનીક રોડની તમામ સામગ્રીનીતંત્ર દ્વારા સેમ્પલ લઈને લેબોરેટરી કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવી જશે.આ રોડની ફૂટપારીઓ વિષે વિરોધ પક્ષના નયનભાઈ જીવાણી એવું કહેલ હતું કે આ ફૂટપારીઓમાં પાથરવામાં આવેલ બ્લોકમાં ક્યાયં પણ પીસીસી નથી કરવામાં આવેલ અને ભૂકી નાખીને બ્લોક જેમતેમ ફિટ કરી દીધા છે. (વિજયભાઈ કુનિતયા ભાયાવદર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy