જસદણ તા. 28 : જસદણના લોક સેવક અશોકભાઈ મેતા નું શુક્રવારે જન્મ દિવસે જેને કારણે અચાનક હાર્ટ એટેક થી અવસાન થતાં તેમની પ્રાર્થના સભામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સદગત અશોકભાઈ મહેતાની પ્રાર્થના સભામાં જસદણ રાજવી પરિવારના સત્યજીતકુમાર ખાચરે ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને એક સાચા લોકસેવકની વિદાય થતા શોક વ્યક્ત કર્યો હતો.
વીરનગર હોસ્પિટલ, કન્યાવિનય હાઈસ્કૂલ, હરિબાપા કોલેજ સહિતની વિવિધ સંસ્થાઓના ટ્રસ્ટી મંડળના તેમના સાથી ટ્રસ્ટી ગુમાવ્યાનો શોક સત્યજીતકુમાર ખાચરે વ્યક્ત કર્યો હતો. મહેતા પરિવારના પરિવારજનોને સત્યજીતકુમાર ખાચરે સાંત્વના પાઠવી હતી. તેમની સાથે યુવરાજ સાહેબ શ્રી રવિરાજરકુમાર સત્યજીતકુમાર ખાચર પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર ધર્મેશ કલ્યાણી જસદણ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy