કુંભમેળામાં સંતોનો રણ ટંકાર - વકફ બોર્ડનો ખાત્મો અને સનાતન બોર્ડની રચના

સનાતન બોર્ડની રચના માટે સંતોનું આર - પારની લડાઈનું એલાન

India | 24 January, 2025 | 12:07 PM
અમે મહાકૂંભમાં પીએમ મોદી અને સીએમ યોગી પાસે દક્ષિણારૂપે સનાતન બોર્ડની રચના માંગશું : 27 મી જાન્યુઆરીએ મહાકુંભમાં ધર્મ પરિષદમાં સનાતન બોર્ડની રચનાનો ઠરાવ પસાર થશે : સંતો
સાંજ સમાચાર

પ્રયાગરાજ,તા.24
અખિલ ભારતીય અખાડા પરિષદ સનાતન બોર્ડની રચનાને લઈને આરપારની લડાઈનું એલાન કરી દીધુ છે. સંતોએ કહ્યું છે કે, સનાતન બોર્ડની રચના થવા સુધી અમે મહાકૂંભ નહિં છોડીએ.

વકફ બોર્ડનો ખાત્મો અને સનાતન બોર્ડની જાહેરાત હવે આ બન્ને જ અમારા મુદા છે. આ મામલે અમને સરકાર તરફથી આશ્વાસન જોઈએ આના માટે 27 મી જાન્યુઆરીએ યોજાનારી ધર્મ સંસદમાં પ્રસ્તાવ રજુ કરવામાં આવશે.

અખિલ ભારતીય અખાડા પરિષદનાં અધ્યક્ષ મહંત રવિન્દ્ર પુરીએ ગુરૂવારે મીડિયાને કહ્યું હતું કે, તેઓ મહાકુંભમાં દક્ષિણ તરીકે ઓળખાતા પીએમ મોદી અને સીએમ યોગી પાસેથી સનાતન બોર્ડ લેશે.

મહાકુંભ સનાતન બોર્ડની આસ્થાનું કેન્દ્ર છે તેની સાથે બધાની આસ્થા જોડાયેલી છે. એટલે આ મહાકુંભમાં એક વધુ સનાતનનો મહાકુંભ થશે જે નિર્ણાયક ભૂમિકામાં જવાનો ધર્મની સ્વતંત્રતાનો દિવસ હશે. એ દિવસે સનાતન બોર્ડની રચના કરવામાં આવશે.

મહામંડલેશ્વર સ્વામી પ્રેમાનંદ પુરી મહારાજ (અરજીવાળા હનુમાન) એ કહ્યું હતું કે અમે બધા સ્વામી દેવકીનંદન ઠાકુરજીની વાતનું સમર્થન કરીએ છીએ. જે આર્યાવતે સનાતનનું હતું.

તેમા વકફ બોર્ડની કોઈ જગ્યા નથી કે ના તો કોઈ અસ્તિત્વ એટલે વકફ બોર્ડને સમાપ્ત કરી દેવુ જોઈએ. અમને બંધારણીય બોડી જોઈએ જે વ્યવસ્થિત હોય જે જુનુ હતું તે અમને પરત જોઈએ અને તેના માટે સનાતન બોર્ડની રચના જરૂરી છે.

મંદિર-મઠોને કબજાથી મુકત કરાવશે સનાતન બોર્ડ
આનંદ પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી બલકાનંદ ગિરીએ જણાવ્યું હતું કે, સનાતનનું અસ્તિત્વ સૃષ્ટિના આરંભથી છે બાકી બધુ તેના પછીની ઉપજ છે આજે અમારા મંદિર, મઠ અને ધાર્મિક સ્થળો પર કબ્જો છે અગાઉ દરેક મઠના પોતાના આચાર્ય કુલમ હતા.

જેમાં વિદ્યાર્થીઓને શસ્ત્રની સાથે શિક્ષણનું જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું પણ ધીરે ધીરે બધા પર કબ્જો થઈ ગયો સનાતન બોર્ડથી કબજાવાળી જગ્યાઓને મુકત કરાવાશે અને જુની પરંપરાઓને પુન:જીવીત કરાશે.

આંતર રાષ્ટ્રીય કથા વ્યાસ સ્વામી દેવકીનંદન ઠાકુરે જણાવ્યું હતું કે, અમને સનાતન બોર્ડ જોઈએ 27 મી જાન્યુઆરીએ બધા પહોંચશુ.

મહાકુંભમાં અત્યાર સુધીમાં 10 કરોડ શ્રધ્ધાળુઓએ ડુબકી લગાવી
ટ્રાફીકજામથી પ્રયાગરાજનાં લોકો ફસાયા

પ્રયાગરાજ: મહાકુંભ દરમ્યાન સંગમમાં ડુબકી લગાવનારની સંખ્યા ગુરૂવારે 10 કરોડને પાર પહોંચી હતી શહેરમાં ઉમટેલી ભીડના કારણે આખો દિવસ ટ્રાફીક જામની સ્થિતિ રહી હતી જેમાં લોકો ફસાઈ ગયા હતા.

જાણકારી મુજબ ગુરૂવાર બપોરે 12 વાગ્યા સુધીમાં 30 લાખ લોકોએ ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી હતી. તેમાં 10 લાખ કલ્પવાસીઓની સાથે સાથે વિદેશથી આવેલા શ્રધ્ધાળુઓ અને સાધુ સંતો પણ સામેલ હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj