રાજકોટ, તા. 29
મુંબઇ શેરબજારમાં આજે ઉછાળે નફારૂપી વેચવાલીને પગલે પ્રારંભિક તેજીનો માહોલ ટકી શકયો ન હતો અને હવામાન મિશ્ર પ્રકારનું રહ્યું હતું. શેરબજારમાં આજે શરૂઆત પોઝીટીવ ટોને થઇ હતી પરંતુ ઉછાળે વેચવાલીથી તેજી ટકી શકી ન હતી.
વિદેશી સંસ્થાઓની લેવાલી જેવા સારા કારણો મૌજુદ હોવા છતાં ભારત-પાકિસ્તાન વચ્ચે વકરતા ટેન્શન તથા યુધ્ધના માહોલથી સાવચેતી હતી.
શેરબજારમાં આજે અદાણી પોર્ટ, બજાજ ફાઇનાન્સ, એચસીએલ ટેકનો, ઇન્ડુસઇન્ડ બેંક, ઇન્ફોસીસ, રીલાયન્સ, ટીસીએસ વગેરે ઉંચકાયા હતા. એકસીસ બેંક, એચડીએફસી બેંક, કોટક બેંક, મહિન્દ્ર, નેસલે, એનસીટીસી, પાવર ગ્રીડ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, અલ્ટાટ્રેક સિમેન્ટ, ઓએનજીસીમાં ઘટાડો હતો.
મુંબઇ શેરબજારનો સેન્સેકસ 20 પોઇન્ટ વધીને 80239 હતો ઉંચામાં 80661 તથા નીચામાં 90112 હતો નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 15 પોઇન્ટના ઘટાડાથી 24313 હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy