રાજકોટ,તા.30
હિરાસર એરપોર્ટ નજીક સીઆઈએસએફના કવાર્ટરોના નિર્માણ માટે કલેકટર તંત્ર પાસે સાત એકર જમીન માંગવામાં આવી છે. આ અંગે કલેકટર પ્રભવ જોષી દ્વારા સ્થળ તપાસ કરી રિપોર્ટ આપવા અધિકારીઓને આદેશ કરવામાં આવેલ છે. અહીં એ ઉલ્લેખનીય છેકે હિરાસર એરપોર્ટ પાસે સાત એકર જમીન પર 50 જેટલા કવાર્ટરોનું નિર્માણ કરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, હાલ શહેરના જૂના એરપોર્ટ પાસે સીઆઈએસએફના કવાર્ટરો આવેલા છે પરંતુ હિરાસર ખાતે નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત થતા સીઆઈએસએફના જવાનોને શહેરથી આ હિરાસર એરપોર્ટ પર ફરજ પર પહોચવામાં મુશ્કેલી પડતી હોય હિરાસર એરપોર્ટ પર સીઆઈએસએફના જવાનોના માટે કવાર્ટરોનું નિર્માણ કરવા માટે આ સાત એકર જમીન માંગવામાં આવી છે. હિરાસર ખાતે આ નવા કવાર્ટરોનું નિર્માણ થશે. જૂના કવાર્ટરો સરકારને પરત સોંપી દેવામાં આવશે.
દરમિયાન આ અંગે કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે હિરાસર એરપોર્ટ પાસે સીઆઈએસએફ દ્વારા કવાર્ટરોના નિર્માણ માટે જમીન માંગવામાં આવી છે તેમ સ્થળ તપાસ બાદ સરકારને રિપોર્ટ મોકલાશે. આ જમીનની કિંમત સરકાર નકકી કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy