ઈસ્લામાબાદ (પાકિસ્તાન) તા.26
પહેલગામ આતંકી હુમલા બાદ સિંધુ જળ કરાર રદ કરવાના ભારતના નિર્ણય બાદ પાકિસ્તાન ઉશ્કેરાયુ છે. આ ઉશ્કેરાટમાં પાકિસ્તાનના નેતાઓ ધડ-માથા વગરના નિવેદનો કરી રહ્યા છે ત્યાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ બેકફુટ પર આવી ગયા છે.
તેમણે કહ્યું છે કે, પહેલગામ આતંકી હુમલા મામલે અમે તપાસ માટે તૈયાર છીએ. તેમણે કાકુલમાં પાક. મિલીટરી અકાદમીમાં પાસીંગ આઉટ પરેડને સંબોધતા જણાવ્યું હતું કે પહેલગામમાં બનેલી હાલની ઘટના આ નિરંતર દોષારોપણની રમતનું એક ઉદાહરણ છે, જે પુરી રીતે બંધ થવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે, એક જવાબદાર દેશ તરીકે પોતાની ભૂમિકા ચાલુ રાખતા પાકિસ્તાન કોઈપણ તટસ્થ, પારદર્શી અને વિશ્વસનીય તપાસમાં ભાગ લેવા તૈયાર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy