ભારતીય પંચાંગ અનુસાર ન્યાયના દેવતા ગણવામાં આવતા શનિ મહારાજ 2015ની 13 જુલાઇથી સવારે 9.36 વાગ્યે વક્રી થશે અને ર8 નવેમ્બરે સવારે 9.20 વાગ્યા સુધી તેઓ વક્રી રહેશે. આમ આ 138 દિવસો સુધીનો શનિ મહારાજની વક્રી ચાલ ત્રણ રાશિઓને ઘણો ફાયદો કરાવશે એમ જાણવા મળે છે.
વૃષભ રાશિ
શનિ ગ્રહ વક્રી થવાના કારણે આ રાશિના જાતકોને ઘણો ફાયદો થવાનો છે. આ રાશિના લોકોનું ભાગ્ય ખુલી જશે, તેમના જે કામ અટકી પડયા હતા એ થવા લાગશે અને નાણાંનો વરસાદ થશે. આ રાશિના જાતકોને મહેનતનું આખુ ફળ મળશે, નવી નોકરી મળવાના ચાન્સ છે અને યાત્રાથી ઘણો લાભ થશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોને પણ શનિ ગ્રહના વક્રી થવાથી લાભ થશે. તેઓ જે કામમાં હાથ નાખશે એમાં સફળતા મળશે. લક્ષ્મી માતા તેમના પર મહેરબાન થશે, આર્થિક સ્થિતિ પહેલાથી સારી થશે અને મકાન ખરીદવાનું સપનુ પુરૂ થશે. ઓફિસમાં આ રાશિના જાતકોના કામની જોરદાર પ્રશંસા થશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આ સમય ઘણો અનુકુળ સાબિત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરી અને વેપારમાં ઘણો લાભ થશે. બિઝનેસમાં ઘણો નફો થશે. યાત્રા સુખદ સાબિત થશે. વિદેશમાં નોકરી મેળવવાનું સપનુ પણ પુરૂ થઇ શકશે. પારિવારિક માહોલ પણ સુધરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy