(દેવાભાઇ રાઠોડ)
પ્રભાસ પાટણ, તા.9
દેશના માટે પ્રાણ ન્યોચ્છાવર કરી દેવાની તૈયારી સાથે ભારતની રક્ષા કરતા સેનાના સૈનિકોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. તેની પ્રભાસતીર્થ સોમપુરા બ્રહ્મ સમાજે પ્રશસ્તિ કરી સોમનાથ શિવાલયમાં દેશના જવાનો માટે વેદોકત મંત્રો સાથે વિશેષ આરતી પુજા કરી તેને બળ મળે તેવી પ્રાર્થના કરી હતી.
ભારતના બાર જ્યોતિર્લિંગ પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્ય અને ચરણમાં આજ રોજ સોમનાથ તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ પ્રમુખ હેમલ ભટ્ટ તથા ટ્રસ્ટી મંડળના સભ્યો અને સમાજના સર્વે પંડિતોએ હાલની સ્થિતિને ધ્યાને રાખી આપણા દેશની રક્ષા કરી રહેલા સૈનિકોને વધુ બળ મળે અને રક્ષણ થાય. તેમજ પહેલગાવ હૂમલાનો જડબાતોડ જવાબ આપ્યો.
તેને બિરદાવવા પવિત્ર વેદમંત્રોચ્ચાર સાથે પ્રાચીન અહલ્યાબાઈ નિર્મીત સોમનાથ મંદિર પૂજા પાઠ, ષોડષોચાર પૂજા, દૂધ - જળ પંચામૃત - અબિલ ગુલાલ ઇત્યાદિ પુજા દ્રશ્યોથી અભિષેક સાથે વિશેષ પૂજા કરવામાં આવી હતી. સાથે ભગવાનનો શણગાર કરી દિવ્ય આરતી કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતે હર...હર...મહાદેવ ઉપરાંત ભારત માતા કીજાય’ના ગગનભેદી ઘોષનોદો સાથે મંદિર ગજાવી દીધું હતું. આમ ભક્તિ અને રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy