નવી દિલ્હી, તા.28
પાકિસ્તાનમાં આગામી 28 મેથી ચોથી જૂન દરમ્યાન એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપનું આયોજન થશે, પરંતુ પહેલગામ આતંકવાદી હુમલાને કારણે બન્ને દેશ વચ્ચે વધેલા તનાવને કારણે ભારતે આ ટુર્નામેન્ટ રમવા ન જવાનો નિર્ણય કર્યો છે. આ સ્પર્ધામાં ઈરાન, તુર્કમેનિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનની ટીમ ભાગ લેશે.
પાકિસ્તાન વોલીબોલ ફેડરેશનના નિવેદન અનુસાર ‘ભારતે આવતા મહિને ઈસ્લામાબાદમાં યોજાનારી સેન્ટ્રલ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપમાંથી પોતાની ટીમ પાછી ખેંચી લીધી છે. ભારતે 28 મેથી જિન્નાહ કેમ્પસમાં શરૂ થનારી ચેમ્પિયનશિપ માટે બાવીસ પ્લેયર્સ સહિત 30 સભ્યોની ટીમ મોકલવાની પુષ્ટિ કરી હતી.
પહેલગામ ઘટના બાદ તેમની સરકારે પાકિસ્તાન આવવા માટે આપવામાં આવેલ નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ રદ કરી દીધું છે. ભારત ચેમ્પિયનશિપમાંથી ખસી ગયું છે એ જાણીને નિરાશા થઈ છે અને એની જગ્યાએ અફઘાનિસ્તાન અથવા શ્રીલંકાની ટીમ આવશે.’
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy