કોલંબો : શ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સામેનાં ભ્રષ્ટાચારનાં આરોપો વચ્ચે અદાણી ગ્રૂપ સાથેનો વીજ ખરીદીનો કરાર રદ કર્યો છે. પ્રમુખ ડિસાનાયકેનું વહીવટીતંત્ર પવન ઉર્જા પ્રોજેક્ટની સમીક્ષા કરી રહ્યું છે, જ્યારે કાર્યકરોએ વીજળીનાં ઊંચા ખર્ચની ટીકા કરી છે અને પર્યાવરણીય ચિંતાઓને કારણે સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો છે.
શ્રીલંકાએ ભ્રષ્ટાચારનાં આરોપોને પગલે ભારતીય સમૂહ અદાણી ગ્રૂપ સાથેનો વીજ ખરીદી કરાર રદ કર્યો છે, એમ કોલંબોમાં ઊર્જા મંત્રાલયનાં સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું.અબજોપતિ ગૌતમ અદાણી પર ગયાં વર્ષનાં અંતમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યાં બાદ પ્રમુખ અનુરા કુમારા દિસનાયકેના વહીવટીતંત્રે કંપનીનાં સ્થાનિક પ્રોજેકટ્સની તપાસ શરૂ કરી હતી.
તેમના વહીવટીતંત્રે મે 2024 માં રાષ્ટ્રનાં ઉત્તર-પશ્ચિમ ટાપુમાં અદાણી વિન્ડ પાવર કોમ્પ્લેક્સમાંથી 0.0826 ડોલર પ્રતિ કિલોવોટના ભાવે વીજળી ખરીદવા સંમત થયાં હતાં.
ઉર્જા મંત્રાલયનાં એક ટોચનાં અધિકારીએ જણાવ્યું હતું કે, ડીસાનાયકેની કેબિનેટે આ મહિનાની શરૂઆતમાં આ સોદાને આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે.
એક અધિકારએ જણાવ્યું હતું કે, સરકારે પાવર ખરીદી કરાર રદ કર્યો છે, પરંતુ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો નથી. સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે એક સમિતિની નિમણૂક કરવામાં આવી છે અને તેનાં નિર્ણય મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy