(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા. 22
અમરેલી જિલ્લામાં ચકચારી બનેલા નકલી લેટરકાંડ મામલે અમરેલી પોલીસ સામે પાયલ ગોટીને માર મારવા તથા તેણીનું જાહેરમાં સરઘસ કાઢવાના મુદે પાયલ ગોટી દ્વારા પોલીસ સામે આક્ષેપ કરેલ હતા. જેના પગલે પાયલ ગોટીએ રાજ્ય પોલીસ વડાને કરેલ ફરિયાદના મુદે તપાસ કરવા માટે છેલ્લા બે દિવસથી ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલના ડી.આઇ.જી. નિર્લિપ્ત રાય અમરેલી આવ્યા હતા.
અત્રેના સર્કિટ હાઉસ ખાતે તપાસનો ધમધમાટ શરૂ કરેલ હતો. અને સતત બે દિવસ તપાસ બાદ એસ.એમ.સી.ની ટીમ તપાસ પુર્ણ કરી અમરેલીથી રવાના થઇ હતી. તપાસના બીજા દિવસે એસ.એમ.સીની ટીમ દ્વારા આ બનાવના જેલ હવાલે રહેલાં આરોપીનીની પણ પુછપરછ કરવામાં આવ્યાનું જાણવા મળેલ છે.
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલના ડી.આઇ.જી. નિર્લિપ્ત રાય અમરેલી આવ્યા બાદ અમરેલી પોલીસ સામે ફરિયાદ કરનાર પાયલ ગોટીનું નિવેદન અત્રેના સર્કિટ હાઉસ ખાતે નોંધાયું હતું. અને લાંબી પુછપરછ બાદ આ બનાવમાં લાગતા વળગતા પોલીસ કર્મીઓને પણ એક પછી એકના નિવેદન નોંધવામાં આવ્યા હતા.
ગઇકાલે બીજા દિવસે પણ આ કેસમાં લાગતા વળગતા લોકોને એક પછી એકને બોલાવી અને વધુ નિવેદન નોંધવાની કામગીરી આગળ ચાલી હતી. જ્યારે અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલા નકલી લેટરકાંડના મુખ્ય આરોપી હાલ જેલમાં રહેલાં આરોપીના નિવેદન લેવાં માટે જિલ્લા જેલ ખાતે પહોંચ્યા હતા. અને તેમના નિવેદન પણ નોંધ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલના ડી.આઇ.જી. તથા સ્ટાફના લોકો તપાસ પુરી કરી અને અને એસ.એમ.સી.ની ટીમ અમરેલીથી રવાના થઈ હતી. આ તપાસનો રીપોર્ટ રાજ્યના પોલીસ વડાને સુપ્રત કરનાર હોવાનું જાણવા મળેલ છે. ત્યારે અમરેલીમાં છેલ્લા બે દિવસથી ભારે ચકચાર મચી જવા પામી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy