(અનિલ રાજા)
પોરબંદર, તા.10
ભારત-પાકિસ્તાન વચ્ચે વર્તમાન તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે.જેમાં પોરબંદરના બંદર વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા કડક ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે કરેલી એરસ્ટ્રાઇકથી પાકિસ્તાન હચમચી ગયું છે. પાકિસ્તાનનો વળતો પ્રહાર નિષ્ફળ રહ્યો છે. છેલ્લા 24 કલાકથી ભારત દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે પોરબંદરના 100 કિલોમીટર લાંબા દરિયા કિનારાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.ખાસ કરીને મરીન પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
જેમાં દરિયામાં માછીમારી કરતી અને પરત ફરતી બોટોના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.અને સંવેદનશીલ દરિયાકિનારે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ સતર્ક બન્યો છે....તો
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી નાગરિકોની સુરક્ષા અને સલામતી અંતર્ગત પોરબંદર જિલ્લામાં આજે પોરબંદર એરપોર્ટ ખાતે સંયુક્ત મોક ડ્રીલ યોજવામાં આવી હતી.
વર્તમાન પરિસ્થિતિમાં જો કોઈ બનાવ બને તો અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અને મદદ મળી રહે તે માટે વિવિધ એજન્સીની સતર્કતા અને કામગીરી નું એનાલિસિસ કરી એવી સ્થિતિમાં સેવાઓને વધુ સારી રીતે અને ઝડપથી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે મોક ડ્રીલ બાદ સિનિયર અધિકારીઓએ સંબંધિત વિભાગોના જવાનો કર્મચારીઓ અને જોડાયેલા વિભાગોને માર્ગદર્શન આપ્યુ હતું.
કલેકટર શ્રી એસ.ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં જિલ્લાની ટીમ સુસજ્જ છે. કેન્દ્રીય એજન્સીઓ સાથે પણ સંકલનમાં છે. કોઓર્ડીનેશન અને રિસ્પોન્સ વધુ ગુણવત્તા યુક્ત કરી શકાય અને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ સતર્કતા અને પૂર્વ તૈયારી ચકાસવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.
એસપી શ્રી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સલામતી માટે પગલા, સંકલન , અને ઝડપથી મદદ પહોંચાડી શકાય તે માટે મોક મોક ડ્રિલ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
એસપીશ્રી એ વધુમાં જણાવ્યું કે પોરબંદર જિલ્લો દરિયાકાંઠે છે, માછીમારોની સલામતી અને દરિયાકાંઠે જરૂરી સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એજન્સીઓના સંકલનમાં પોલીસ દ્વારા પણ જરૂરી બંદોબસ્ત અને એલર્ટ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
એસપી શ્રી એ વધુમાં કહ્યું કે હાલની સ્થિતિમાં રાષ્ટ્રની સુરક્ષા ને અસર થાય કે એકતા જોખમાય તેવા કોઈ મેસેજ સોશિયલ મીડિયામાં ફોરવર્ડ ન થાય તે આપણું કર્તવ્ય છે. જાગૃત નાગરિકો આ બાબતનો ખ્યાલ રાખે એ જરૂરી છે.
કોઈ અફવા ન ફેલાય અને ખોટો ભય ન રાખવા અને અધિકૃત સત્તાવાર માહિતી તંત્ર દ્વારા આપવામાં આવે તે ધ્યાને લેવા અને તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો હતો. હાલની પરિસ્થિતિમાં ફટાકડા ન ફોડવા તેમજ ડ્રોન ન ઉડાડવા અંગે જણાવ્યું હતું અને આ અંગેના જાહેરનામાની પણ કાર્યવાહી થઈ રહી છે તેમ જણાવ્યું હતું.
પોરબંદર ખાતેની આજની સંયુક્ત મોકડ્રિલમાં પોલીસ અને અન્ય કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ, રેવન્યુ,આરોગ્ય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીઝ, એરપોર્ટ અને અન્ય જરૂરી ઓથોરિટી ના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy