નવી દિલ્હી,તા.8
પાકિસ્તાન સાથેના યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ દેશમાં પેટ્રોલ-ડીઝલ સહિતના ઈંધણોનો પુરતો પુરવઠો હોવાનું જાહેર કરી સરકારે ઈંધણ મેળવવા માટે કોઈ ધસારો ન કરવા લોકોને અપીલ કરી છે. સામાન્ય રીતે યુદ્ધ સમયે આ પ્રકારની સ્થિતિ બનતી હોય છે પરંતુ ભારત અગાઉથી જ કોઈપણ સમયે ઓછામાં ઓછો 45 દિવસનો ઈંધણ પુરવઠો રાખતુ હોય છે અને બાકીના પુરવઠા માટે પણ ભારત તે મેળવી શકે તે સ્થિતિમાં હોય છે.
ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશને એક સોશ્યલ મીડીયા પોસ્ટમાં જણાવ્યું કે દેશમાં ઈંધણનો પુરવઠો પુરતો છે અને તમામ કામગીરી સરળતાથી ચાલી રહી છે અને તેથી પેટ્રોલ-ડિઝલ-એલજીપી વગેરે ખરીદવા કોઈ ધસારાની જરૂર નથી. અમારા આઉટલેટ પર તે વ્યવસ્થા મોજૂદ છે અને લોકોને સતત ઈંધણનો પુરવઠો મળી રહે તે નિશ્ચિત કરાયું છે.
કેટલાક સોશ્યલ મીડીયા હેન્ડલ પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઓપરેશન સિંદુરના પગલે ભારતમાં પેટ્રોલપંપ અને ગેસ એજન્સીઓ પાસે પુરવઠો મેળવવા માટે કતાર છે અને લોકો રાહ જોઈ રહ્યા છે. પરંતુ ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશને આ પ્રકારના તમામ અહેવાલોને ફગાવી દીધા છે.
ઓઈલ રિંગ- રીફાઈનરીઓથી દુર રહેવા માછીમારોને આદેશ
નવી દિલ્હી,તા.9
દેશમાં યુદ્ધ જેવા માહોલ છતાં પણ બોમ્બે હાઈ સહિતના તેલ શોધ ક્ષેત્રો અને ઓઈલ રિફાઈનરીઓમાં નિયમિત રીતે કામકાજ ચાલુ છે અને તેની સુરક્ષાની પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
મુંબઈ સહિતના દરિયાઈ ક્ષેત્રમાં આવેલા ઓએનજીસી અને અન્ય કંપનીઓની ઓઈલ રિંગને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરાયા છે અને તેની આસપાસ ન જવા માછીમારો સહિતના તમામને ચેતવણી આપવામાં આવી છે અને તેના ક્ષેત્રમાં મંજુરી વગર પ્રવેશ બદલ શુટ ટુ કીલ ના આદેશ પણ અપાયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy