નવી દિલ્હી: સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર અંગેની ટીપ્પણીમાં સુપ્રીમ કોર્ટે આજે વિપક્ષના જેના રાહુલ ગાંધીની આકરી ટીકા કરી હતી અને ભવિષ્યમાં આ પ્રકારના વિધાનોથી દુર રહેવા ખાસ તાકીદ કરી હતી.
સુપ્રીમકોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે જેઓએ આપણને સ્વતંત્રતા અપાવી તેને માટે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી શકાય નહી. કાલે કોઈ એમ કહેશે કે મહાત્મા ગાંધીજી અંગ્રેજોના નોકર હતા તો શું એ ચલાવી લેવાશે!
સુપ્રીમકોર્ટ જો કે રાહુલ ગાંધી સામેના માનહાનીના કેસમાં તેમની સામેના સમન્સ રદ કરવાના ઈન્કાર કરવાના અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશ સામે ‘સ્ટે’ આપી દીધો હતો. આમ રાહુલને રાહતની સાથે સુપ્રીમની ફટકાર પણ સાંભળવી પડી હતી.
સુપ્રીમકોર્ટે કહ્યું કે, આપરે સ્વાતંત્ર્ય સેનાનીઓની મજાક ઉડાવી શકીએ નહી. ન્યાયમૂર્તિ દિપાંકર ગુપ્તા અને ન્યાયમૂર્તિ મનમોહનની ખંડપીઠે ભવિષ્યમાં આ પ્રકારના નિવેદનો નહી આપવાની ચેતવણી આપી હતી. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા સમયે વિર સાવરકર અંગે વિધાન કર્યા હતા.
સુપ્રીમકોર્ટે કહ્યું કે વીર સાવરકર સ્વતંત્રતા સેનાની હતા. તેઓ તેને અંગ્રેજોના નોકર કઈ રીતે કહી શકો છો! મહાત્મા ગાંધી તેના પત્રમાં યોર ફેઈશ ફુલી સર્વન્ટ તેમ લખતા હતા તો શું તેઓ કોઈના નોકર થઈ ગયા! રાહુલનો ઈરાદો જો સાવરકરના અપમાનનો ન હતો તો તમો કઈ રીતે આ ટીપ્પણી કરી શકો!
સુપ્રીમકોર્ટે રાહુલ ગાંધી સામે અનેક માનહાનીના કેસનો હવાલો આપતા કહ્યું કે તમારો ઈતિહાસ જાણીતો છે. તમો વારંવાર આ પ્રકારની ટીપ્પણી અને વિધાનો કરો છો પણ હવે જો તેમ કરશો તો અમે ખુદ તેનું સંજ્ઞાન લેશું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy