વઢવાણ, તા. 15
સુરેન્દ્રનગર સુધારા પ્લોટ વિસ્તારમાં લગ્ન બાદ છૂટાછેડા આપ્યાનું મનદુખ રાખી 2 શખસે 1 પર હુમલો કર્યો હતો. જેમાં મારમારી કર્યાની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોધાવાઇ હતી. જે મુજબ તેઓ 9-4એ રાત્રે ઘરે હતા ત્યારે સમીર ઝઘડો કરવા લાગ્યા હતા.
સમીરે તેમની દીકરી રીયા પર પ્લાસ્ટિકની પાઇપ મારતા ફરીદાબેન બચાવવા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. ત્યારબાદ સમીરભાઇના માતા રોશનબેન પણ આવી ગાળો આપી હતી.
સમીરના નાનાભાઇ હમીદની પત્ની રેશ્મા સાથે હમીદે છૂટાછેડા આપ્યાનું મનદુખ રાખી ઝઘડો કરી માર માર્યાની રતનપર સુધારા પ્લોટના સમીર હસનભાઇ જેડા તથા રોશનબેન હસનભાઇ જેડા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy