(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 19
સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળો આકરો સાબીત થઈ રહ્યો છે. શુક્રવારે તાપમાનનો મહત્તમ પારો 0.8 ડીગ્રી ઘટીને 42.5 ડીગ્રી નોંધાયો હતો. તેમ છતાં બપોરના સમયે આકાશમાંથી આગ વરસતી હોય તેમ લાગતુ હતુ. આરોગ્ય વિભાગના જણાવાયા મુજબ 2 દિવસમાં 10 વ્યકતીઓને ગરમીની અસરથી લુ લાગવી, ઉલ્ટી, સામાન્ય તાવના કેસો નોંધાયા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સુર્યનારાયણ કોપાયમાન થયા હોય તેમ ગરમી પડી રહી છે.તાપમાન સતત 40 થી 44 ડીગ્રી વચ્ચે રહ્યા કરે છે. ત્યારે શુક્રવારે જિલ્લાનું મહત્તમ તાપમાન 42.5 ડીગ્રી નોંધાયુ હતુ. જે ગુરૂવારના 43.3 ડીગ્રી સામે 0.8 ડીગ્રી ઘટયુ હતુ. સતત ગરમીને લીધે લોકોનું બપોરના સમયે ઘરથી બહાર નીકળવુ મુશ્કેલ બની ગયુ છે.
જયારે જિલ્લા મુખ્ય આરોગ્ય અધીકારી ડો. બી.જી.ગોહીલના માર્ગદર્શનથી એપેડેમીક મેડીકલ ઓફીસર ડો. જયેશ રાઠોડ ગરમીની લોકોના આરોગ્ય પર થતી અસરો પર સતત મોનીટરીંગ કરી રહ્યા છે.
ડો. જયેશ રાઠોડના જણાવાયા મુજબ છેલ્લા 2 દિવસમાં 10 લોકોને ગરમીને લીધે લુ લાગવી, ઉલ્ટીઓ થવી, સામાન્ય તાવના કેસો સામે આવ્યા છે. ઉનાળામાં સતત તડકામાં રહેવાથી હીટસ્ટ્રોક થાય છે. સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન 37 ડીગ્રી આસપાસ હોય છે.
આ તાપમાનમાં શરીરના દરેક અવયવો સારી રીતે કામ કરે છે. જયારે વધુ તાપમાનના સમયે હીટવેવના લીધે આરોગ્યલક્ષી સમસ્યાઓ ઉભી થાય છે. હીટસ્ટ્રોકથી બચવા બપોરે ઘરથી બહાર નીકળવાનું ટાળવુ, બપોરે જમીને થોડી વામકુક્ષી કરવી, શકય તેટલુ વધારે પાણી પીવુ, દિવસમાં 2-3 વાર ઠંડા પાણીની સ્નાન કરવુ, હળવા-સુતરાઉ અને સફેદ વસ્ત્રો પહેરવા હીતાવહ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy