નવી દિલ્હી: પહેલગામમાં સહેલાણીઓના હત્યાકાંડના કલાકોમાંજ આ હુમલાની જવાબદારી લેનાર લશ્કરે તોયબાના ફ્રન્ટ સંગઠન ધ રેસીસ્ટ ફોર્સ- જે ટીઆરએફ તરીકે ઓળખાય છે.
તેણે હવે પીછેહઠ કરતા આ હુમલામાં તેની કોઈ ભૂમિકા હોવાનો ઈન્કાર કર્યો છે તથા તેની સંડોવણીના અહેવાલને નકારતા કહ્યું કે આ કાશ્મીર વિરોધી પ્રોપેગંડા-ભારતની ગુપ્તચર એજન્સીઓ ચલાવી રહી છે.
ટીઆરએફએ ખુદને સ્થાનિક અને હિંસા નહી પણ શાંતિના માર્ગે વિરોધ કરનાર ગણાવ્યા હતા. ટીઆરએફના પ્રવકતા અહમદ ખાલીદના નામથી સતાવાર નિવેદન પ્રસિદ્ધ કરવામાં આવ્યુ હતુ અને સંગઠનના ડિજીટલ પ્લેટફોર્મ પર એક નાનો સંદેશ લખીને તેમના નામની સંડોવણીની કબુલાત એ સાયબર હુમલો હતો.
ભારતીય ગુપ્તચર એજન્સીઓએ કરાવ્યો હતો. ભારતીય એજન્સીઓ ડિજીટલ ટેકનોલોજીથી અમોને બદનામ કરવા માંગે છે. સંગઠને તે પણ દાવો કર્યો કે અમો સ્થાનિક સ્તરે નિર્દોષ લોકોની હત્યા થાય છે તેનો વિરોધ કોઈ અમારી લડાઈ વિચારધારાની છે. અંધ હિંસાની નહી!
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy