ડર ફેલાવવાનો આતંકીઓનો મનસૂબો નાકામ : ટુરિસ્ટોથી ફરી ધમધમી ઉઠયું પહેલગામ

India | 28 April, 2025 | 10:16 AM
ડરને ભુલીને ગણતરીના દિવસોમાં જ પર્યટકો પહેલગામ પહોંચ્યા : હુમલો દુર્ભાગ્યપૂર્ણ પણ તેથી અહીં આવવાનું બંધ ન થાય : ટુરિસ્ટ
સાંજ સમાચાર

પહેલગામ (જમ્મુ-કાશ્મીર), તા.28
પહેલગામમા લોકોમાં ડર ફેલાવવાનો આતંકીઓનો મનસૂબો નાકામ રહ્યો છે. રજાઓ ગાળવા આતંકી હુમલાના ગણતરીના દિવસોમાં જ લોકો અહીં પાછા ફરતા જોવા મળી રહ્યા છે. આ નાનકડું હિલ સ્ટેશન 22 એપ્રિલે પુરી રીતે બંધ હતું.

શનિવારે પર્યટકો પહેલગામના લિડ્ડર નદીના કિનારે લોકપ્રિય સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી-તસવીરો લેતા જોવા મળ્યા હતા. મોટાભાગના પર્યટકોએ જણાવ્યું હતું કે પહેલગામમાં પર્યટકોના આવવા પર કોઈ પ્રતિબંધ નથી એટલે તેમણે પોતાની રજાઓના પ્લાનને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. હોટેલ માલિકો પણ ખાસ છુટ આપી રહ્યા છે.

કોલકતાના જોયદીપ ઘોષ હસ્તીદારે કહ્યું હતું કે, અમે શુક્રવારે જ આવ્યા ત્યારે અહીં બધુ સામાન્ય હતું. જો કે મોટાભાગની બજારો અને દુકાનો બંધ હતી. પરંતુ સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓ ખૂબ જ મદદરૂપ હતા. બેસરન મેદાન ટુરિસ્ટો માટે બંધ છે એટલે અમે બીજી જગ્યાએ ગયા હતા.

એક અન્ય ટુરિસ્ટ મૃત્યુંજય પાંડેએ જણાવ્યુ હતું કે, તેની પાસે 24-26 એપ્રિલ સુધીનું બુકીંગ હતું પણ આતંકવાદી હુમલા બાદ તેને રદ કરી નાખ્યું હતું પણ જયારે બતાવવામાં આવ્યું કે, પહેલગામમાં પર્યટકોના આવવા પર કોઈ પ્રતિબંધ નથી તો અમે શનિવારે સવારે આવી ગયા.

કોલકતાના એક પરિવારે જણાવ્યું હતું કે, પહેલગામ હુમલો કરુણ હતો પણ માત્ર તે કારણે અહીં આવવાનું બંધ ન કરી શકાય

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj