નવી દિલ્હી: રાજયસભામાં અધ્યક્ષ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે ધનખડ અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વચ્ચે જુબાની જંગ જામી પડી હતી. ખડગેએ વિપક્ષોને સંભળાવતા કહ્યું- હું ખેડૂતનો દીકરો છું, ઝુકી નહીં જાઉં, તો સામે ખડગેએ ફટકાર લગાવતા કહ્યું- હું પણ મજુરનો દીકરો છું. સંસદમાં બોલવાનો બધાને મોકો મળવો જોઈએ.
રાજ્યસભામાં મામલો બગડતાં ખડગે અને ધનખડ વચ્ચે તીખી ખટપટ થઇ હતી. આ દરમિયાન હોબાળાને ધ્યાનમાં રાખીને સોમવાર સુધી રાજ્યસભા સ્થગિત કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી હતી.
રાજ્યસભામાં હોબાળાની સ્થિતિ જોવા મળી હતી. સભાપતિ જગદીપ ધનખડ વિપક્ષ પર બગડ્યા હતા. તેમણે કહ્યું કે લાગે છે હું તમને બર્દાશ્ત નથી થતો પણ મારો સવાલ એ છે કે તમને આ ખેડૂતનો દીકરો સહન કેમ નથી થઇ રહ્યો?
તેના પર કોંગ્રેસના અધ્યક્ષ અને વિપક્ષના રાજ્યસભામાં નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ તેમને એમની જ ભાષામાં જવાબ આપ્યો કે જો તમે ખેડૂતના દીકરા છો તો હું પણ શ્રમિકનો દીકરો છું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy