(મેહુલ સોની)
પાલીતાણા, તા.25
ચૈત્ર વદ 11ગુરૂવારના શુભદિને આગમોદ્ધારક શ્રી સાગરજી મ.સા. સમુદાયના વરિષ્ઠ ગચ્છાધપતિ આચાર્યશ્રી નરદેવ સાગર સૂરીશ્વરજી નો જન્મદિન હતો. પાલીતાણા આગમંદિરના વિશાળ હોલમાં સુંદર સાજ સજ્જા, રંગોળી, દીવડા, ગડુલીઓ સાથે શતાધિક સાધુ- સાધ્વીઓની પાવન ઉપસ્થિતિમાં 84 માં જન્મદિનની સુંદર ઉજવણી કરાઈ હતી.
આ પ્રસંગે શાસન પ્રભાવક પૂ. આચાર્ય અશોક સાગર સૂરીશ્વરજી,પૂ. આચાર્ય સાગરચંદ્ર સાગર સૂરીશ્વરજી, પૂ. આચાર્ય પૂર્ણચંદ્રસાગર સૂરીશ્વરજી,પૂ. આચાર્ય સૌમ્યચંદ્રસાગર સૂરીશ્વરજી, પૂ. આચાર્ય વિવેકચંદ્રસાગર સૂરીશ્વરજી,અપૂર્વ-આગમ-રમ્ય ચંદ્રસાગર સૂરીશ્વરજી આદિ અનેક પદસ્થો, મુનિઓ, સાધ્વીજીઓ તેમજ પાલીતાણા સ્થિત જુદા જુદા સમુદાયના આચાર્યો અને મુનિઓ પણ પધાર્યા હતા. આ સાથે ચાતુર્માસ જયોત્સવનો પ્રસંગ હોવાથી અનેક જૈન અગ્રણીઓ પણ પધાર્યા હતા.
સુંદર રાગમાં સંસ્કૃત અષ્ટકના ગાન દ્વારા પ્રસંગની શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ વિવિધ ગુરુ ભગવંતોએ પૂજ્યશ્રીના ગુણવૈભવને બખૂબી વર્ણવ્યો હતો. 950 સાધુ સાધ્વીજીના નાયક પદે હોવા છતાં બાળક જેવી નિખાલસતા, જ્ઞાનના શિખરે બિરાજતા થતા દર્પણ જેવી નિર્દોષતા, તપોમય જીવન, સ્વયં 9 વર્ષિતપ કરનારા તથા સળંગ 26 વર્ષથી અનેકોને તપમાં જોડનારા, સંસ્કૃતમાં નુતન સર્જન તથા વાર્તાલાપ કરનારા, જ્યોતિષમાં પારંગત, પાંચે આચારમાં પવિત્ર, તપાગચ્છ ની પ્રવર સમિતિમાં બિરાજતા એવા પૂજ્યશ્રીના ગુણોને જાણી સૌ અહોભાવિત થયા હતા.
પૂ. આચાર્ય સાગરચંદ્ર સાગર સૂરીશ્વરજીએ દરેક પૂજ્યોના વક્તવ્યની કડીઓનું કુનેહ થી અનુસંધાન કર્યું હતું. આ અવસરે સુરત વેસુ આગમોદ્ધારક ધાનેરા ભવનના ટ્રસ્ટીઓની વિનંતીથી પૂ. ગચ્છાધિપતિ શ્રી તથા પૂ. આચાર્ય અશોકસાગર સૂરીશ્વરજી તથા પૂ. આચાર્ય સાગરચંદ્ર સાગર સૂરીશ્વરજીના ચોમાસાની જય બોલાવાઈ હતી. આ સાથે સમુદાયના અનેક આચાર્યો, પદસ્થોના ચાતુર્માસ માટે પાલીતાણા, સુરત, અમદાવાદ, મુંબઈ, ભાયંદર, ઇન્દોર, જામનગર, પૂના, ઊંઝા, આણંદ, પાટણ, ગિરનાર, થાણા, વાલકેશ્વર, હૈદરાબાદ, ભાવનગર, જયપુર વગેરે અનેક નગરોના વિવિધ સંઘોમાં ચાતુર્માસ માટે રજા અપાઇ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy