(અશોક જોષી) ગોંડલ,તા.8
ગોંડલનાં અક્ષર મંદિરના 91માં પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી સંતો-મહંતો અને હજારો હરિભક્તોની હાજરીમાં કરવામાં આવી. સવારે મંગળા આરતી બાદ વેદપાઠી બ્રાહ્મણોએ વેદના મંત્રગાન દ્વારા ઠાકોરજીનો ન્યાસવિધી સંપન્ન કરાવ્યો.
આ પ્રસંગે આમંત્રિત મહેમાનો તથા મહાનુભાવોએ 105 દ્રવ્ય વડે પૂજન કરેલા કળશના જળ થી ઠાકોરજી પર અભિષેક કરવાનો લાભ પ્રાપ્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પાટોત્સવનો લાભ લેવા આસપાસના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનાં સંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પાટોત્સવ નિમિતે ઠાકોરજીને આમંત્રિત મહેમાનો તેમજ મહાનુભાવો દ્વારા ષોડ્ષોપચાર સામગ્રી ધરવામાં આવી હતી.ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો રસથાળ અન્નકૂટ સ્વરૂપે ગોઠવવામાં આવ્યો હતો. અંતે, ઠાકોરજીને આરતીના અર્ઘ્ય દ્વારા વધાવવામાં આવ્યાં હતા. આમ, શ્રી અક્ષર મંદિરનો 91 મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવેલ હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy