અમદાવાદ,તા.9
ગુજરાત હાઈકોર્ટે સ્ટર્લિંગ SEZ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના લિક્વિડેટર દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી છે. આ કંપની કથિત નાણાકીય છેતરપિંડીના કેસમાં આરોપી સાંડેસરા ભાઈઓ દ્વારા ચલાવવામાં આવતી હતી, જે બંને હાલમાં ફરાર છે.
રાજ્ય સરકાર દ્વારા ટેનન્સી એક્ટની કલમ 84 હેઠળ આ જમીનનો કબજો લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેને રોકવા માટે લિક્વિડેટર દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી જે ફગાવી દેવામાં આવતા હવે સરકારનો જમીન પર હક્ક રહેશે.
મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીની બેંચે લિક્વિડેટરનો આ દાવો નકારી કાઢ્યો કે લિક્વિડેશન પ્રકિયા (IBC) શરૂ થઈ ગયા પછી રાજ્યના જમીન ટેનન્સી અને જમીન સીલિંગ જેવા કાયદાઓનો અમલ કરવામાં ન આવે. સંબંધીત જમીનનો અંદાજિત મૂલ્ય રૂ. 500 કરોડથી વધુ આંકવામાં આવી છે.
લિક્વિડેટરે દલીલ કરી હતી કે રાજ્ય સરકારે શરતી મંજૂરી આપેલી જમીનો પર જ્યારે લિક્વિડેશન પ્રક્રિયા શરૂ થઈ હોય ત્યારે tenancy કે agricultural ceiling કાયદા લાગુ ન પડે.
પરંતુ રાજ્ય સરકારના તરફે હાજર રહેલા મુખ્ય સરકારી વકીલ જી.એચ. વર્કે કોર્ટમાં દલીલ કરી કે લિક્વિડેશનની પ્રક્રિયા રાજ્યના જમીન કાયદાઓના અમલને નિષ્ક્રિય બનાવી શકે નહીં.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકારને લિક્વિડેશનની પ્રક્રિયા પુરી થયા બાદ પણ tenancy અને ceiling કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવાનો અધિકાર છે. રાજ્ય સરકારે એ પણ દલીલ કરી હતી કે લિક્વિડેશન પ્રક્રિયા જમીનના માલિકીના ટાઇટલને ચોખ્ખા કરવા કે સુધારવા માટેનો ઉપાય બની શકે નહીં.
સ્ટર્લિંગ જૂથ સામે ભારતીય એજન્સીઓ દ્વારા લગભગ રૂ. 14,500 કરોડના બેન્ક લોન ગોટાળાની તપાસ ચાલી રહી છે. આ જૂથના પ્રમોટર્સ નિતિન અને ચેતન સાંડેસરા સામે આર્થિક ગુનાહિત ઘોષિત કર્યા ગયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy