♦ પુંછ સહિતની સરહદો પર પાક દળોના તોપમારાનો જવાબ અપાયો: ડ્રોન-મિસાઈલ હુમલા તોડી પડાયા
નવી દિલ્હી: ભારતે ત્રાસવાદ સામે કરેલી સર્જીકલ સ્ટ્રાઈકમાં પાકે હવે યુદ્ધ નોતરી લેતા એક તરફ પાક દળોના હુમલાને આકરો વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરથી રાજસ્થાન અને ગુજરાતની સરહદો પર મહતમ એલર્ટ સાથે પાક હુમલાથી જાનમાલને નુકસાની ન થાય તે નિશ્ર્ચિત કરી લેવામાં આવ્યું છે.
ગઈકાલે રાત્રીથી પાકે અનેક મોરચે હવાઈ હુમલા શરૂ કરતા જ તુર્તજ યુદ્ધ કવાયતના ભાગરૂપે બ્લેક આઉટ કરી દેવાયો હતો અને પાકના હુમલાનો વળતો જવાબ શરૂ કરાયો. પંજાબ તથા જમ્મુ-કાશ્મીર એ પાક સાથે સૌથી નજીકની સિમા ધરાવતા હતા અને આ ક્ષેત્રમાં પાકના ડ્રોન મિસાઈલ હુમલાને તોડી પાડવામાં આવી હતી.
જેમાં અનેક સ્થળોએ પાક મિસાઈલ ડ્રોનના કાટમાળ જોવા મળ્યા હતા. જમ્મુમાં પાકના હુમલાના પ્રારંભમાં જ જળબાતોડ જવાબ આપીને ફકત બે કલાકમાં જ પાકની હવાઈ તાકાતને તોડી પાડવામાં આવી હતી અને બ્લેક આઉટ પણ હટાવી લેવાયા હતા. રાજસ્થાનના બારમેર સહિતના જીલ્લાઓમાં પાક હુમલાની શકયતાથી અંધારપટ રાખવામાં આવ્યો હતો.
તમામ રાજય સરકારોએ પાણી-વિજળી સહિતની સુવિધા જળવાઈ રહે તે નિશ્ર્ચિત કરાતા દેશના સરહદી જીલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા હાલ સ્થગીત કરવામાં આવી છે. પંજાબ તથા જમ્મુ-કાશ્મીરમાં શાળા કોલેજો હાલ બંધ રખાયા છે. રાતભર વિસ્ફોટકોના અવાજ આવતા રહ્યા હતા અને ભારતે આ યુદ્ધમાં પાકને ઘસેડવા માટે છેક ઈસ્લામાબાદ સુધી તેની પહોંચ બનાવી લીધી હતી.
રાત્રીના 8થી વહેલી સવારે 4.30 સુધી આ પરીસ્થિતિ રહી હતી. ભારત સરકારે મધરાતે જ ધડાધડ આદેશોથી પાકનો કુપ્રચાર કરતા 8000થી વધુ સોશ્યલ મીડીયા હેન્ડલ સસ્પેન્ડ કરવા આદેશ આપ્યો હતો તો ઓટીટી સહિતના પ્લેટફોર્મ પર પાક ક્ધટેન્ટ સાથેના તમામ કાર્યક્રમો પણ બંધ કરવા આદેશ અપાયા હતા.
બીજી તરફ પાક દળોએ પુંચ, રાજૌરી અને જમ્મુ-કાશ્મીરમાં સીમા ક્ષેત્રમાં ભારે તોપમારો અને ગોળીબાર ચાલુ રાખ્યો હતો અને તેના કારણે ગ્રામીણ ક્ષેત્રમાં લોકોને રાતભર સલામત રાખવા માટે ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો. રાજસ્થાનના જેસલમેરમાં પાક હુમલાના ખબર બાદ એલર્ટ જાહેર કરાયુ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy