- આપણે મંદિરમાં એક રૂપિયો મૂકીને કેટલું માંગીએ છીએ
- માથા મસાણે મારે પાળીયો થઇને પુજાવું રે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું રે
રાજકોટ, તા. 28
સોમનાથમાં પાલીતાણાના કાળભૈરવ પીઠના મહંત તથા સુપ્રસિધ્ધ કથાકાર પૂ. રમેશભાઇ શુકલજીના વ્યાસસને રામકથા ચાલી રહી છે. કુહાડા પરિવાર આયોજીત રામકથામાં ભાવિકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. રામકથામાં આવતા દરેક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે.
કથાકાર પૂ. રમેશભાઇ શુકલજીએ રામકથાના પ્રસંગો વર્ણવતા જણાવ્યું કે ભગવાન શિવજી અને પાર્વતીજીનું દાંપત્ય જીવન અજોડ છે. રામાયણમાં ચાર પ્રકારના દાંપત્ય જીવન જોવા મળે છે. જેમાં દેવ દાંપત્ય, માનવ દાંપત્ય, ઋષિ દાંપત્ય તથા રાક્ષસી દાંપત્ય રામાયણએ દાંપત્ય જીવનનો વિશ્ર્વકોષ છે. પ્રશ્નથી પૂર્ણ વિરામ સુધીની યાત્રાએ રામાયણ છે.
તેમણે જણાવ્યું કે રામકઅયન, અયન એટલે ઘર થાય, આપણું જીવન અથવા ઘર કેવું હોવું જોઇએ એ રામાયણ બતાવે છે. જીંદગી એક અરમાનોમાં કા મેલા હૈ, યહાં કિસીકી ખ્વાહિસ પુરી નહિ હુઇ, ઇસી લીયે સોમનાથને જો સ્થિતિ દી હૈ, ઉસે પ્રસાદ માનકર આયે બઢો.
પથ્થરની મૂર્તિ બને છે એ પથ્થર પછી મંદિરમાં જાય છે એ ભગવાન બની જાય કરૂણા એ છે કે માણસ કેટલીવાર મંદિરમાં જાય છે પણ માણસ બનતો નથી.
ભાવનગરનો નાજીર લખે છે મને જોઇને હસવું આવે છે કે તારા બનાવેલા આજે તને બનાવે છે. એક રૂપિયામાં કાંઇ આવતુ નથી આપણે એક રૂપિયો નાંખીને કેટલું માંગીએ છીએ.
એક નેતા મંદિરમાં ગયા પછી બહાર આવ્યા મંદિરની બહાર ભિક્ષુક બેઠેલો હતો. બધા ભિક્ષકોએ હાથ લંબાવ્યા કંઇક આપો એક ભિક્ષુકે હાથ ન લંબાવ્યો ત્યારે નેતાએ કહ્યું કે તે કેમ હાથ ન લંબાવ્યો ભિક્ષુકે કહ્યું હું અને તું બંને સરખા છીએ.
તું ભગવાન પાસે માંગીને આવ્યો હું માણસો પાસે માંગુ છું ફેર જાજો નથી.
શ્રી રામ જન્મ્યા નથી, પ્રગટ થયા છે જે પ્રગટ થાય તેને ભગવાન કહેવાય બાકી મહાપુરૂષ અથવા તો અંશા અવતાર કહેવાય.શ્રી રામજીએ ધનુષ તોડયું તો ધનુષ તુટયું પરંતુ એની જે દોરી છે તે ન તુટી કારણ કે દોરી શ્રીરામ આગળ આવે છે અને ધનુષ શ્રી રામની વિરૂધ્ધ જાય છે ધર્મન નજીક તમે આવશો તો અખંડ રહેશો ધર્મથી દુર જશો તો ખતમ થશો.
એક પાળીયા ઉપર ચુંદડી હતી મેઘાણીએ પુછયું મર્દ થઇને ચુંદડી ઓઢી ગયો, પાળીયામાંથી અવાજ આવેલો કે હું બેન દીકરીની ઇજજત માટે શહીદ થયો છું પરંતુ આજે મારી આંખ સામે બેન દીકરીની ઇજજત લુંટાય છે અને હું પાળીયામાંથી બહાર નથી નીકળી શકતો એટલે શરમનો માર્યો ચુંદડી ઓઢી ગયો.
‘માથા મસાણે મારે પાળીયે થઇને પુજાવું રે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું’
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy