(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.13
ગુજરાત વન વિભાગમાં મદદનીશ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા રૂચિ દવેએ ગુજરાતમાં જોવા મળતા પતંગિયાંઓ વિશે ગુજરાતી ભાષામાં માહિતિ સભર પુસ્તક લખ્યુ છે. આ પુસ્તકનું વિમોચાન જીતેન્દ્ર દેસાઇ મેમોરિયલ હોલ, નવજીવન ટ્રસ્ટ કેમ્પસ, અમદાવાદ ખાતે યોજાયુ પુસ્તકનું વિમોચન પર્યાવરણવિદ્ એમ.કે. રણજીતસિંહ, ગીધ સરંક્ષણ ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત ડો. વિભુ પ્રકાશ, વનસ્પતિશાસ્ત્રની હરતી - ફરતી વિદ્યાપીઠ ગણાતા ડો. મીનું પરબીઆ અને પર્યાવરણ પ્રેમી લોકોની હાજરીમાં યોજાયું.
રૂચિ દવે લિખિત પુસ્તક ‘આપણાં પતંગિયાં’ - ગુજરાતનાં પતંગિયાં વિશે જાણી - અજાણી માહિતી પતંગિયાંના ઉછેર, તેના જીવનચક્ર, તેના નામો પાછળની રોમાંચક કથાઓની અને પતંગિયાનાં પર્યાવરણમાં મોટા યોગદાનનું વિસ્તૃત વર્ણન કરે છે. કુલ 4ર4 પાનાંનાં આપુસ્તકમાં ગુજરાતમાં સામાન્ય ગણાતાં હોય તેવાં તમામ પતંગિયાં વિશેની માહિતી અને સંશોધન આવરી લીધાં છે.
પતંગિયાંનાં કુલ 6 કુળના 1ર4 જાતિનાં પતંગિયાં વિશે વિગતવાર વર્ણન કર્યું છે. પતંગિયું કુદરતે સર્જેલું સૌથી આશ્વર્યકારક સજીવ છે. તેનું જીવન ઈંડા, ઇયળ, કોશેટો અને પુખ્ત પતંગિયું એમ ચાર તબક્કામાં વહેંચાયલું છે. પુસ્તકની પ્રસ્તાવના વાંકાનેર રાજ પરિવારનાં મોભી મધ્યપ્રદેશ કેડરના નિવૃત્ત આઇ.એસ.એમ ઓફિસર એમ.કે. રણજીતસિંહે લખી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy