કટરા(જમ્મુ કાશ્મીર) તા.18
ત્રણ દિવસની રજા પૂરી થયા બાદ માતા વૈષ્ણો દેવીના દર્શને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પહેલા જ્યાં દરરોજ 45,000થી 50,000 શ્રદ્ધાળુઓ માતાના દરબારમાં દર્શન કરતા હતા, ત્યાં હવે આ સંખ્યા ઘટીને 25,000થી 30,000ની વચ્ચે રહી ગઈ છે.
હાલમાં લગભગ 25,000થી 30,000 તીર્થયાત્રીઓ માતા વૈષ્ણો દેવીની યાત્રા માટે આધાર શિબિર કટડા પહોંચી રહ્યા છે. બુધવારે સાંજે 5:00 વાગ્યા સુધીમાં લગભગ 18,800 શ્રદ્ધાળુઓ રજિસ્ટ્રેશન કરાવીવે ભવન તરફ પ્રસ્થાન કર્યું હતું.અને બાકીના યાત્રાળુઓની અવરજવર ચાલુ છે.
મંગળવારે, 27,177 શ્રદ્ધાળુઓએ માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા હતા. શનિવાર, રવિવાર અને સોમવારે સતત રજાઓ હોવાથી વૈષ્ણોદેવી યાત્રામાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો, જે દરમિયાન દરરોજ 45,000 થી 50,000 ભક્તો દર્શન માટે આવી રહ્યા હતા.
હાલમાં માતા વૈષ્ણો દેવીના દર્શને આવતા તમામ ભક્તો કોઈપણ મુશ્કેલી વગર યાત્રા કરી રહ્યા છે. મજબૂત વ્યવસ્થાઓના કારણે શ્રદ્ધાળુઓ સરળતાથી યાત્રા કરી રહ્યા છે અને તેમને દરેક પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
હેલિકોપ્ટર, બેટરી કાર, રોપવે કેબલ કાર, ઘોડા, કુલી અને પાલખી જેવી બધી સેવાઓ પહેલાની જેમ જ ઉપલબ્ધ છે. ભક્તો ભૈરવ ઘાટીમાં બાબા ભૈરવનાથના ચરણોમાં માથું નમાવી રહ્યા છે. આ સાથે જ તેઓ આધાર શિબિર કટડા ખાતે પ્રસાદ અને અન્ય વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે, જેના કારણે બજારોમાં દિવસ-રાત રોનક જોવા મળી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy