સ્કંદ મહાપુરાણમાં બીજા વૈષ્ણવ ખંડમાં વૈશાખ માસનું વિસ્તૃત માહાત્મ્ય કુલ 25 અધ્યાયોમાં આપેલું છે. જેના વકતા શ્રી નારદજી છે અને શ્રોતા રાજા અંબરીષ છે.
વૈશાખ શુકલ એકાદશીનું ફળ
તા.8મેના ગુરૂવારના જો પ્રાત:કાલ સૂર્યોદય પહેલા સ્નાન કધરવામાં આવે તો કરોડો ચંદ્રગ્રહણ તથા સૂર્યગ્રહણ સમયે સમસ્ત તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય મનુષ્યને પ્રાપ્ત થાય છે. આ દિવસે સ્નાન કરવાથી સમસ્ત દાનનું પુણ્ય પણ મનુષ્યને પ્રાપ્ત થાય છે.
વૈશાખ શુકલ દ્વાદશીનું ફળ
તા.9મેના શુક્રવારે પ્રાત:કાલ સ્નાન કરવાથી ચંદ્રગ્રહણ તથા સૂર્યગ્રહણ સમયે ગંગા કિનારાની પાસે 1000 ગાયોના દાનનું પુણ્ય મનુષ્યને પ્રાપ્ત થાય છે. આ દિવસે સુપાત્રને અન્નદાન કરવાથી અન્નના કણે કણે કરોડ-કરોડ બ્રાહ્મણોને અન્નદાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
વૈશાખ ત્રયોદશી તિથિનું ફળ
તા.10મેના શનિવારે ત્રયોદશી તિથિ તા. 11મેના રવિવારે ચતુર્દશી તિથિ તથા તા. 12 મેના સોમવારે પૂર્ણિમા તિથિ આ ત્રણેય દિવસોમાં શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરવાથી પ્રતિદિન અશ્ર્વમેઘ યજ્ઞનું પુણ્ય મનુષ્યને પ્રાપ્ત થાય છે.
આ ત્રણેય દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી એટલું મહાન પુણ્ય ઉત્પન્ન થાય છે જે કહેવાને સ્વર્ગ તથા નર્કમાં કોઇ સમર્થ નથી. પૂર્ણિમાના દિવસે વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરતા કરતા ભગવાન વિષ્ણુને જળથી સ્નાન કરાવવાથી મનુષ્યને વિષ્ણુ લોકમાં સ્થાન મળે છે. આ ઉપરાંત ત્રયોદશી તીથિએ ભગવાન શ્રી વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવવા માત્રથી મનુષ્ય પોતાના સમસ્ત કુળનો ઉધ્ધાર કરી શકે તેમ છે.
વૈશાખ પૂર્ણિમામાં તિથિનું વિશેષ ફળ
યમરાજને ઉદેશીને જળથી ભરેલો ઘડો, દહી અને અન્નનું દાન કરવું તે પછી પિતૃઓ, ગુરૂ અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે ઠંડુ જળ, દહીં, અન્નદાન, પાનબીડુ તથા કાંસાના પાત્રમાં ફળ તથા દક્ષિણા આપવી આ ધર્મનું ભગવાન શ્રી વિષ્ણુની પ્રસન્નતા માટે પાલન કરવું તેવી શાસ્ત્રની આજ્ઞા છે.
વિશેષ નોંધ : તા. 11મે ના રવિવારેના આખો દિવસ વ્યતિપાત યોગ છે.
વ્યતિપાત યોગનો પ્રારંભ તા. 11મેના સૂર્યોદય પહેલા 4 ક. અને ર8 મી થાય છે તથા વ્યતિપાત યોગ પૂર્ણ તા. 1રના સોમવારે સૂર્યોદય પહેલા પ ક. અને 8 મી. થાય છે. વ્યતિપાત યોગમાં દાન, સ્નાન, જપ, મંત્ર, પૂજા, પાઠ, સ્તોત્ર, શાસ્ત્રનું પઠન અને શ્રવણ, સંકિર્તન વિગેરે ધર્મ-કર્મનું પુણ્ય અનંતગણુ મળે છે.
વૈશાખ માસની ત્રિસેય તિથિઓ પુણ્યદાયીની છે. ઉપરોકત તિથિઓ ઉપરાંત શુકલ પક્ષની ત્રયોદશી, ચર્તુદશી અને પૂર્ણિમાએ ખુબ પુણ્ય આપનાર છે. આમ વૈશાખ મહિનામાં યથાશકિત સ્નાન, દાન વગેરે ધર્મકાર્યો કરવા જોઇએ.
સંકલન : નિશીથભાઇ ઉપાધ્યાય
સ્પીરીચ્યુઅલ કન્સલ્ટન્ટ અને એસ્ટ્રોલોજર
મો. નં.78742 95074 / 93136 92441
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy