જામનગર તા.25: ભગવતી આઈશ્રી હિંગળાજ માતાજીને આદ્યશક્તિ માનવામાં આવે છે.શકિત પૂજા આર્યોની ઉજ્જવલ સંસ્કૃતિની અદ્રિતીય ધરોહર છે.આર્યોમાં આદિયુગથી વિશ્વ વ્યાપીની ચિન્મયસ્વરૂપા શિ(તની માં જગદંબાની ઉપસનાની ગંગોત્રી પ્રવાહીત રહી છે.ભગવતી શ્રી હિંગળાજ માતાજીનો લોક સમૂહ પર વ્યાપક પ્રભાવ છે.
અઢારેય વરણ આઈશ્રી હિંગળાજ માતાજીને માને છે અને પૂજે છે.લોકોએ પોતાના હદયમાં શ્રી હિંગળાજ માતાજીને લોકદેવી તરી સ્થાપ્યા છે. એટલે જ આ લોકોની આઈ શ્રી હિંગળાજ માતાજીની ઉપાસના તથા આરાધના સરળ અને સહજ છે.
જેમાં કોઈ મંત્ર, તંત્ર કર્મકાંડ કે વિધિ વિધાનની જરૂર નથી.આઈશ્રી હિંગળાજ માતાજીની ઉપાસનામાં તો બસ ભાવપક્ષ, પ્રેમપક્ષ તથા શ્રધ્ધા જ પ્રળ છે.એટલે જ લોકહદયમાં આ લોકદેવીનું આજે પણ ઉંચેરૂ સ્થાન છે. શક્તિના સુર્યશ તેમજ આઈ શ્રી હિંગળાજ માતાજીની આસ્થાના આ પર્વમાં આપને સહભાગી થવા નિમંત્રણ પાઠવીએ છીએ.
દેશની એકાવન શક્તિપીઠોમાં બલુચિસ્તાનમાં સ્થિત હિંગળાજના સ્થાનને પ્રથમ શક્તિપીઠ માનવામાં આવે છે ત્યાં સતીનો બ્રાહયરંધવાળો ભાગ પડયો હોવાની માન્યતા છે.જે વાતની પુષ્ટિ તંત્ર ચુડામણી અને મેરૂતંત્ર જેવા ગ્રંથો કરે છે. હિંગળાજને આદ્યશક્તિ-મહાશકિત માનવામાં આવે છે.હિંગળાજને સાતાદિપપરીસય તરીકે પણ માનવામાં આવે છે. સાતાદ્રિપ એ ફારસની ખાડીમાં પહાડોવાળો એક નાનકડો ટાપુ છે.
ત્યાં દેવી હિંગળાજની અખંડ જયોત જલતી રહી છે. આ જયોતિનું પ્રતિબિંબ થાય છે. એવી માન્યતા છે. આ શરણ હિંગળાજને સ્થાન બલુચિસ્તાનના લાશબેલા વિસ્તારમાં હિંગોળ નદીના કિનારે આવેલું છે. સિંધુ નદીના મુખથી પશ્ચિમમાં 122 કિલો મીટર અને અરબ સાગરથી 18 કિલો મીટર ઉત્તરમાં જયાં મકરણા અને લુસ પ્રાંત અલગ થાય છે. ત્યાંની પહાડોની ગુફામાં હિંગળાજ દેવીનું સ્થાન છે. આમ તો આ વિસ્તારમાં હિંગળાજ આઈના પર સ્થાન છે.
પણ તેમાં શરણ હિંગળાજના સ્થાનને મુખ્ય માનવામાં આવે છે. શરણ હિંગળાજની ગુફાવાળો પહાડ બીજના ચંદ્રના આકાર જેવો . ટીવાલ જેવા પહાડની ડાબી બાજુ શંભકોટ અને જમણી તરફ નિશુંભકોટ છે અને વચ્ચે શરણ હિંગળાજની ગુફા અને કુંડ છે.
અહીં હિંગળાજ દેવીનો પ્રાકૃતિક મહેલ બનેલો છે.જેને પક્ષીએ બનાવ્યો હોય તેવી નાનીમા તે રીતે પાકિસ્તાનના મુસ્લિમો હિંગળાજ માતાજીના આ મંદિરને નાની મંદિર તરીકે માને છે. હિંગળાજ માતાજીની હાજરી આ સ્થળે આજે પણ અવશ્ય અને સાક્ષત હોવાનું મનાય છે.
બ્લોચ મુસલમાનો (બોહી)ની કુંવારી ક્ધયાને હિંગળાજ દેવીની પૂજાનો અધિકાર પ્રાપ્ત છે.જેને ચાંગળી માઈ તરીકે ઓળખવામાં આવે છે. આ બોહી મુસલમાનોના પરિવારના વડાને કોટડી કા પીર કહેવામાં આવે છે. મુસલમાનોમાં હિંગળાજ દેવીને લાલચોલેવાલી કે નાની હિંગળાજ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રાચીન સમયમાં હિંગળાજ દેવીની યાત્રા (કરાંચી) પાકિસ્તાનના નાગનાથના અખાડાથી શરૂ થતી ચાલીસ-પચાસ યાત્રીઓના સમૂહને એક છડીદાર દોસ્તો જેને અગવા તરીકે ઓળખવામાં આવતો. આગળ ચંદ્રકુપ નામક સ્થાન આવે છે. જેને ચંદ્રકુપ ભૈરવ પણ કહેવામાં આવે છે.આ સ્થાને હિંગળાજ યાત્રાનો આદેશ લેવામાં આવે છે. અહીં યાત્રી પોતાના બધા પાપોની સ્વીકારોક્તિ કરી આ ધધક્તા લાવામાં નાળીયેર ફેંકે છે.
નાળીયેર ફેંકનાર જો જાણી જોઈને પોતાનું પાપ છૂપાવે કે કબુલાત ન કરે તો એ લાવામાંથી પરપોટા ઉઠવાનું બંધ થઈ જાય છે અને એ વ્યકિત યાત્રા માટે અપાત્ર ગણવામાં આવે છે. જે યાત્રીનું નાળીયેર દલદલમાં સમાઈ જાય તો તેને અનુમતિ માનવામાં આવે છે. આગળના પહાડો ઉપર અથોર કુંડ આવે છે.
હિંગોળ નદીના વળાંક લે છે. તેને કારણે આ કુંડ બનેલો છે.ત્યારપછી હિંગળાજ માતાજીની ગુફા પાસે પહોંચ્યા બાદ ત્યાં રાત્રી જાગરણ કરવામાં આવે છે અને શરણકુંડમાં સ્નાન કર્યા પછી નવા વસ્ત્રો ધારણ કરી પૂજા સામગ્રી સાથે માતાજીની ગુફામાં જવાનું હોય છે.
ગુફાની અંદર હિંગળાજ દેવીનું મુખ્ય સ્થાન છે.ત્યાં માતાજીની પથ્થરમાંથી સ્વયં પ્રગટ થયેલી મૂર્તિ છે. જેને સિંદુર આભૂષણો અને ચુંદડી ચડાવેલ હોય છે. અહિં અખંડ જયોતિ પ્રતિબિંબિત થતી રહે છે. ત્યા મંત્ર બોલાવી છડીદાર પૂજા કરાવે છે.પૂજા બાદ દાન-પૂણ્ય કરી કોટડીના પીરની આજ્ઞાથી ગર્ભયોનિમાંથી બે-બેની જોડીમાં નીચે પસાર થવાનું હોય છે. ગર્ભયોનિમાંથી નિકળતા ચાંગળી માઈ પ્રસાદરૂપે ગોળની ઘુટી આપે છે.
કોટડીના પીર હુમસની માળા પહેરાવીને કહે છે કે અદ્ભૂત અને અપૂર્વ એવા આ આત્મ અનુભવને હંમેશા આત્મામાં સાચવી રાખજો. ત્યારબાદ યાત્રી બીજીવાર જન્મ પામેલો નિષ્પાપી માની લેવામાં આવે છે. ગર્ભગુફામાંથી સાથે નીકળનાર જોડીદારને શેણભાઈ અથવા શેણબેન કહેવાય છે અને તે નાતો જિંદગીભર જાળવી રાખવાનો હોય છે.
કોટડીના પીર ગુફાની શિખરથી લટક્તી ઉભી શીલા પર ભગવાન રામના હાથથી અંકિત સૂર્ય અને ચંદ્ર બતાવતા કહે છે. ભગવાન રામ અહીં બધી જ હત્યાઓના પાપથી મુકત થવા આવ્યા હતા. તેના બાદ ત્રિકુંડ (શિવકુંડ, બ્રહમકુંડ અને ક્ષીરકુંડ)માં સ્થાન કરવામાં આવે છે.
તેના બાદ 84 પરિક્રમા કરવામાં આવે છે અને અંતમાં અલ્લીલ (દલીલ) કુંડમાં સ્નાન કરવામાં આવે છે. અહીં છડીદાર પથ્થરના કાણા વગરનો મણકો જેને ઠમસે કહે છે તે અલ્લીલ કુંડમાં ફેંકે છે.જેને ડૂબકી લગાવી યાત્રીએ શોધવાનો હોય છે.આ રીતે જાત્રા પૂર્ણ થઈ માનવામાં આવે છે.
હિંગળાજની યાત્રા કરીને આવનાર યાત્રીને અગ્નિદાહ નહી પણ સમાધી આપવામાં આવે છે.ભારત દેશમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણા પ્રદેશમાં હિંગળાજ માતાજીના મંદિરો આવેલા છે. સૌથી પ્રાચીન અને પ્રસિધ્ધ હિંગળાજ મંદિર જેસલમેર પાસે લુદ્રવા નામના સ્થાન પર છે.બાડમેર જિલ્લાના વિસ્તારથી 12 કિ.મી. દૂર છપ્પનીયા પહાડોની કોયલીયા નામની ગુફામાં અષ્ટપૂજા સિંહ વાહિની ભગવતી હિંગળાજની મૂર્તિ સ્થાપિત છે.
મૂર્તિના ચરણોમાં નિર્મળ જળનું ઝરણું વહે છે. હરિયાણાની સીમા પર બલેશ્વર પર્વત પર પ્રાચીન હિંગળાજ મંદિર છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર અને યવતમાલ જિલ્લાના પહાડ પર ગઢ હિંગળાજ નામે પ્રસિધ્ધ છે. વિંધ્ય પ્રદેશમાં 10મી, 11મી શતાબ્દિમાં નિર્મિત્ત મહિષાસુર મર્દિની પ્રતિમામાં દેવીનું નામ હિંગુલ દેબ્યા અંકિત છે.
હિંગળાજ માતાજીની યાત્રામાં યાત્રીએ જે પાવન સ્થળના દર્શન કરવાના હોય છે તેમાં ગોરક્ષ આમલી, હબનદી, બાટીયા ભૈરવ, લોટનદી, સિંગભવાની, ગુપ્ત હનુમાન, સીતા માતાની ચુંદડી, બારી નદી, ગુરૂ-ચેલા સમાધી, ગુગરીયા ભૈરવ, અઘોરી નદી, ગોદડીયા ભૈરવ, કટારીયા ભૈરવ, હિંગોળ નદી, મૂંડકટ્ા ગણેશ, રાધાપુરી, આશાપુરા માતાજી, હિંગળાજની ગુફાનો સમાવેશ થાય છે.
(આલેખન-મુકેશ જોઈશર, જામનગર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy