નાગા સાધ્વીઓનું રહસ્ય..

India | 20 January, 2025 | 04:23 PM
નાગા સાધુઓની જેમ નાગા સાધ્વીઓની દુનિયા પણ આશ્ર્વર્યજનક : તેઓ ફકત કુંભમાં જોવા મળે છે
સાંજ સમાચાર

પ્રયાગરાજ  :    
મહાકુંભ મેળો થઈ રહ્યો છે અને ચારે બાજુ ઋષિ-મુનિઓનો મેળાવડો થાય છે. રાખમાં લપેટાયેલા, કેસરી વસ્ત્રો પહેરેલાં, અહીં દરેક એક સરખા દેખાય છે, પરંતુ કેટલાક અલગ પણ છે. આ છે સ્ત્રી નાગા સાધ્વીઓ!  હા, તમે સાચું સાંભળ્યું છે, સ્ત્રીઓ પણ નાગા સાધુ બની જાય છે. પુરૂષ નાગા સાધુઓને દરેક વ્યક્તિ જાણે છે, તેમની શાહી સવારી અને સ્નાનની વાત કરવામાં આવે છે, પરંતુ સ્ત્રી નાગા સાધુઓ મોટાભાગનાં લોકોની નજરોથી દૂર રહે છે. પરંતુ આ વખતે પ્રયાગરાજના મહાકુંભમાં તેમની એક ઝલક જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયાં છે અને લોકો જાણવા માંગે છે કે તેઓ કોણ છે અને કેવી રીતે બને છે ? આ અહેવાલમાં આજે આ બાબતની ચર્ચા કરવામાં આવશે.

મહિલા નાગા સાધ્વીઓ બનવું સરળ વાત નથી. આ માત્ર ભક્તિનો માર્ગ નથી, પણ પોતાની જાતને સંપૂર્ણપણે બદલવાની યાત્રા છે. સાધ્વી બનતાં પહેલાં, તેઓ સામાન્ય સ્ત્રીઓ હોય છે - કોઈની પત્ની, માતા અને પુત્રી. પરંતુ તે ઘર અને પરિવારની સુખ-સુવિધાઓ છોડી દે છે અને શિવની ભક્તિમાં સંપૂર્ણ રીતે લીન થઈ જાય છે. તેમની દીક્ષાની પ્રક્રિયા પુરૂષ નાગા સાધુઓ જેટલી જ મુશ્કેલ હોય છે, તેઓને ગુરુમાં અતૂટ શ્રદ્ધા અને સખત આધ્યાત્મિક તાલીમ પછી જ આ માર્ગ પર ચાલવાની મંજૂરી આપવામાં આવે છે. તે પોતાની અંદરની દરેક ઇચ્છા અને દરેક ઓળખને ભૂંસી નાખે છે.  
આખું જીવન બદલાય જાય છે 

દીક્ષા લેતાં પહેલાં આ સાધ્વીઓએ 6 થી 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવું પડે છે. ઘણાં લોકો રહેવા માટે ગુફાઓ, જંગલો અથવા પર્વતોમાં જાય છે. તેઓ અખાડાઓમાં રહીને નિયમોનું પાલન કરે છે, પરંતુ પુરૂષ નાગાઓની જેમ તેઓ નગ્ન રહેતી નથી.  તેઓ ’ગંટી’ નામનું સિલાઇ વગરનું કેસરી કાપડ પહેરે છે અને તેમનાં માથા પર જટા અને કપાળ પર તિલક લગાવે છે. તેણી તેનાં જૂના જીવનનો અંત લાવે છે અને ’પિંડ દાન’ કરે છે અને સાધ્વી તરીકે નવો જન્મ લે છે.

આ વખતે પણ હજારો  નાગા સન્યાસીઓ બનશે 
જુના અખાડાના પ્રવક્તાએ કહ્યું કે આ વખતે લગભગ 5000 નવાં નાગા સન્યાસી બનશે. અન્ય અખાડાઓમાં પણ મોટી સંખ્યામાં લોકો નાગા સાધુ બનવા તૈયાર છે. ઋષિ-મુનિઓની સાથે-સાથે અનેક પ્રખ્યાત હસ્તીઓ પણ કુંભમાં આવી છે. આ બધામાં મહિલા નાગા સાધ્વીઓનું વિશેષ મહત્વ છે, જેમણે આધ્યાત્મિક જ્ઞાનની શોધમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. એવું કહેવાય છે કે નાગા સાધુઓ આખું વર્ષ તેમનાં ધ્યાનમાં ડૂબેલાં રહે છે અને કુંભ દરમિયાન જ લોકોની સામે આવે છે. આ ચાર કુંભો પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક થાય છે.  મહાકુંભમાં ડમરુંના તાલે ડાન્સ કરતાં તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શાહી સ્નાન દરમિયાન પણ જ્યારે તેઓ સંગમના ઠંડાં પાણીમાં ન્હાવા પડ્યાં ત્યારે તેમનો ઉત્સાહ જોવા જેવો હતો. પુરૂષ નાગાઓની જેમ, સ્ત્રી નાગા સાધ્વીઓ પણ અતૂટ શ્રદ્ધા, ભક્તિ અને બલિદાનનું પ્રતીક છે. તેઓ કુંભ મેળાના મૂળ અર્થને પ્રતિબિંબિત કરે છે - નશ્વર અને દૈવીનું મિલન અને અજ્ઞાતમાં પ્રવાસ.

►કેટલીક વસ્તુઓ જે બહુ ઓછાં લોકો જાણે છે
તેઓ શું ખાય છે ? : નાગા સાધુઓ જે ખાય છે તે નાગા સાધ્વઓ પણ ખાય છે ફળો, મૂળ, જડીબુટ્ટીઓ અને ઘણાં પ્રકારનાં પાંદડાંઓ ખાય છે. 
તેઓ ક્યાં રહે છે ? : અખાડાઓમાં મહિલા સાધુઓ માટે અલગ વ્યવસ્થા હોય છે. પરંતુ સ્નાન માટે તેઓ પુરૂષ નાગા સાધુઓ પછી જ જાય છે. 
તેઓને શું કહી બોલાવવામાં આવે છે ? : અખાડાઓમાં સ્ત્રી નાગા સાધ્વીઓને માઈ, અવધૂતાનીના નામથી બોલાવવામાં આવે છે. 
તેઓ શું પહેરે છે ? : પુરૂષ નાગાઓથી વિપરીત, સ્ત્રી નાગા સાધ્વીઓ સિલાઇ વગરનાં કેસરી કપડાં પહેરે છે, જેને ‘ગંતી’ કહેવામાં આવે છે. તે તિલક લગાવે છે અને તેઓ જટા રાખે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj