(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા )મોરબી તા 10
મોરબી અને માળિયા તાલુકા માટે મચ્છુ-2 ડેમ આશીર્વાદ સમાન છે જો કે, આ ડેમના 33 દરવાજા બદલવા માટેની કામગીરી હાલમાં ચાલી રહી છે અને આ કામ માટે સરકારે 15 કરોડનું બજેટ ફાળવેલ છે. અને આ કામ ચાલુ મહિનાના અંત સુધીમાં પૂરું થઈ જશે તેવી માહિતી મોરબીના ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલ છે
દર વર્ષે ચોમાસામાં મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાઈ જાય એટ્લે મોરબી અને માળીયા તાલુકામાં પીવા તથા સિંચાઈના પાણી માટેનો પ્રશ્ન એક વર્ષ માટે ઉકેલાઈ જતો હોય છે વર્ષ 1979 માં મોરબી જળ હોનારતની ઘટના બની હતી .
અને ત્યારે મોરબીનો મચ્છુ-2 ડેમ તૂટ્યો હતો જેથી મોટા પ્રમાણમાં જાન માલને નુકસાન થયું હતું ત્યારબાદ મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ ફરીથી બાંધવામાં આવ્યો હતો ત્યારે જૂના 20 દરવાજા હતા તેમાં 18 દરવાજાનો વધારો કરીને કુલ 33 દરવાજા મૂકવામાં આવેલ હતા અને તેમાંથી જૂના પાંચ દરવાજને ગત વર્ષે ચોમાસા પહેલા બદલવામાં આવ્યા હતા અને ચાલુ વર્ષે એકી સાથે 33 દરવાજા બદલવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
તેવામાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, ચાલુ મહિનામાં 20 મે સુધીમાં એટ્લે કે મહિનાના અંત પહેલા ડેમના દરવાજા બદલવા માટેની કામગીરી પૂરી કરી નાખવામાં આવશે આ કામ માટે સરકારે 15 કરોડ રુપિયાનું બજેટ આપેલ છે.
વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પીવાના પાણી માટેનો પ્રશ્ન ઉકેલાઈ જાય તેના માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને મોરબીના પાનેલી ગામ પાસે જે તળાવ આવેલું છે તેમાંથી મોરબીના લોકોને પીવા માટેનું પાણી ગ્રેવીટીથી મળે તેમ છે .
જેથી કરીને મહાપાલિકા હસ્તકના આ તળાવમાં વધુ પાણીનો સંગ્રહ કરી શકાય અને લોકોને પીવાનું પાણી તેમાંથી મળે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે સરકારે 40 કરોડનું બજેટ આપેલ છે અને તેના માટેનું ટેન્ડર આગામી દિવસોમાં બહાર પાડવામાં આવશે અને કામ પૂરું થયા પછી વર્ષો પહેલા જે રીતે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં લોકોને પાનેલી તળાવ મારફત પાણી મળતું હતું તેવી જ રીતે સામાકાંઠાના બે વોર્ડ અને આજુબાજુના ગામડાઓને તે ત્લાવમાંથી પીવાનું પાણી મળી રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy