(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 15
હાલ ઉનાળાના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે લોકોને ઠંડુ પાણી પીવા માટલાની ખૂબ જ જરૂર હોય છે. તેવામાં પાણીના માટલા બનાવતા ગુજરાતના જગવિખ્યાત શહેરમાં એકમાત્ર સુરેન્દ્રનગરના થાન શહેરનું નામ આવે છે. થાનના પાણીના માટલા જગપ્રખ્યાત છે, ત્યારે આ રંગબેરંગી પાણીના માટલાઓ ખરીદવા માટે લોકો.દૂર દૂરથી અહી આવતા હોય છે.
તો બીજી તરફ, મોટી સંખ્યામાં પાણીના માટલા ગુજરાતના એનેક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં મોકલવામાં આવે છે. અહી માટીમાંથી બનાવામાં આવતું પાણીનું માટલું મહિલાઓને આર્થિક સહયોગ પૂરો પાડે છે, અને મહિલાઓ પણ પોતાના પગભર ઉભા રહેવા પાણીના માટલાંનું નિર્માણ કાર્ય કરી રહી છે. જેમાં 8, 10, 15 અને 20 લીટરના માટલા બનાવવામાં આવે છે.
આ માટલાની કિંમત 80થી લઈને 200 રૂપિયા સુધીની હોય છે. માટીના માટલાનું પાણી ખૂબ જ મીઠાશપૂર્વક હોય છે, અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે, જ્યારે માટીના માટલાનું પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે, અને શરીર તંદુરસ્ત રહે છે. સુરેન્દ્રનગરના થાનના માટલાની માંગ ગુજરાતના અનેક જિલ્લાઓ તેમજ તાલુકાઓ રહે છે.
અનેક લોકો થાનમાં માટીના માટલાની ખરીદી કરવા દૂર દૂરથી આવે છે. હજુ પણ માટીમાંથી બનાવેલા માટલાની માંગ યથાવત જોવા મળી રહી છે. એટલું જ નહીં, હાલના આધુનિક યુગમાં ફ્રીજ તેમજ પાણીના ઠંડા કુલર સામે માટીનું માટલું ટકી રહ્યું છે, અને લોકોના ઘરમાં માટીમાંથી બનાવેલ માટલા શોભા પણ વધારી રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy