(નરેશ ચોહલીયા) જસદણ,તા.6
વિછીયાના સનાળા ગામે આજથી ત્રણ દિવસ શ્રી રામદેવજી મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો છે. સમારોહ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ તેમજ પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી હાજરી આપશે. વિંછીયા તાલુકાના સનાળા ગામ સમસ્ત આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રિવેણી કાર્યક્રમમાં અલગ અલગ કાર્યક્રમો રાખેલ છે.
પ્રથમ દિવસે રાસ ગરબા માં સંગીતાબેન તાવિયા તેમજ રમેશભાઈ કાપડી અને સાજીંદાઓના સથવારે રાસની રમઝટ બોલાવશે,બીજા દિવસે ડાક ડમરૂનાં કાર્યક્રમમાં મુખ્ય કલાકાર શિવરાજપુર નિવાસી વિજયભાઈ રાવળદેવ તેમજ આજુબાજુના ગામડાઓમાથી માતાજીનાં ભુવાઓ પધારશે,અંતિમ ત્રીજા દિવસે કાંસલોલીયાં ગામનું રામા મંડળ રામદેવપીરનું આખ્યાન રમશે,ત્રણ દિવસ ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામ ધુમાડા બંધ રાખેલ છે.
સનાળા ગામ સમસ્ત આયોજિત ત્રિવેણી સંગમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમસ્ત ગ્રામજનો જહેમત ઉઠાવી રહ્યા છે આ ધાર્મિક કાર્યમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ અને પંચાલ વિકાસ બોર્ડના પ્રમુખ વિનુભાઈ વાલાણી સહિતના આગેવાનો હાજરી આપશે જેથી આ ધાર્મિક કાર્યમાં ધર્મ પ્રેમી જનતાએ પધારવા ભજન ભોજનનો લહાવો લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy