રાજકોટ, તા.10
તાજેતરમાં આતંકવાદીઓ દ્રારા પહેલગામ હુમલો અને સમયાંતરે નિર્દોષ નાગરીકોની હત્યાના પ્રત્યાધાત સ્વરૂપે આપણા સૈન્ય દ્વારા ઓપરેશન સિંદુર હાથ ધરવામાં આવેલ છે.હાલ, દુશ્મન દેશના અનેક આતંકવાદી સ્થાનો ધ્વસ્ત કરતી આપણી સૈન્ય શકિત અને વીરતા માટે લોકોની છાતી ગજગજ ફુલે છે. ત્યારે આગામી સમયને ધ્યાનમાં રાખીને આપદાના સમયે કદાચ રકતની આવશ્યકતા ઉભી થઈ શકે છે.
રક્ત વેચાતું મળતું નથી માટે હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા આજે તા.10 ને શનિવારના રોજ સાંજે 5:30 કલાકે શ્રી બાલાજી મંદિર, ભુપેન્દ્ર રોડ, રાજેશ્રી સિનેમા પાસે, રાજકોટ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. વધુ માહિતી માટે પરેશભાઈ ખોખર (મો.નં.98244 25754) નો સંપર્ક કરવાનો રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy