રાજકોટના બ્રહ્માણી હોલ પાસે આવેલ રામનગર વિસ્તારના સમસ્ત મહિલા મંડળ દ્વારા તા.25 એપ્રિલ સુધી ચાલનાર ભાગવત સપ્તાહનું આયોજન ગત તા.19 એપ્રિલથી શરૂ થયેલ છે. કથા શ્રવણનો સમય સવારે 9 થી 12 અને સાંજે 4 થી 7 રાખવામાં આવ્યો છે. વ્યાસપીઠ ઉપર વિધવાન શાસ્ત્રીજી સાગરભાઈ દવે પોતાની મધુર વાણીથી કથાનું રસપાન કરાવે છે.
આજે સાંજે 6 કલાકે નૃસિંહ પ્રાગટ્ય, તા.22 ને મંગવારે 10:30 કલાકે વામન પ્રાગટ્ય, બપોરે 12 કલાકે શ્રી રામ પ્રાગટ્ય અને સાંજે 5:30 કલાકે શ્રીકૃષ્ણ પ્રાગટ્ય, તા.23 ને બુધવારે સાંજે 5:30 કલાકે ગોવર્ધન લીલા, તા.24 ને ગુરૂવારે સાંજે રૂક્ષ્મણી વિવાહ, તા.25 ને શુક્રવારે સાંજે 5:30 કલાકે સુદામા ચરિત્ર અને કથા વિરામ, કથા શ્રવણ દરમ્યાન સાંજે રાસ ગરબા, આરતી અને પ્રસાદનું આયોજન કરેલ છે. આ ભગવત સપ્તાહને સફળ બનાવવા માટે સમગ્ર લતાવાસીઓ બહેનો, ભાઈઓ અને બાળકોએ જહેમત ઉઠાવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy