રાજકોટ, તા.10
છેલ્લા 36 વર્ષથી મુંબઈ રાજકોટ અને વડોદરાની રંગભૂમિ પર સક્રિય અને અનેક નાટકો હિન્દી ગુજરાતી ટેલિવિઝન સિરિયલ અને ફિલ્મોના અભિનેતા મનીષ પારેખનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના 52 વર્ષ પૂર્ણ કરી 53 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
તેઓ સુપ્રસિદ્ધ અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા, કોરિયોગ્રાફર, મીડિયા ક્ધસલ્ટન્ટ, રેડએફએમના ભૂતપૂર્વ રેડિયો જોકી, કોલમિસ્ટ, નેમ આર્ટ્સ સંસ્થાના સ્થાપક અને સંસ્કાર ભારતીના ગુજરાત પ્રાંત મંત્રી છે. રામકૃષ્ણ આશ્રમ, ઇંગલિશ લેંગ્વેજ ટીચર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ઈન્ટેક, જૈન વિઝન સહિત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
અરાઈઝ, અવેઈક, લાઈફ ઈઝ બ્યુટીફૂલ, હાજરાહજૂર, બોમ્બ બ્લાસ્ટ, ઢેન્ટેણન, ફની મની જેવા અનેક નાટકનું દિગ્દર્શન કર્યું છે. અરાઈઝ, અવેઈક નાટકના પાત્રના કારણે સમગ્ર ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખતા છે. મનીષભાઈને તેમના મો.નં. 99740 90709 પર ચોમેરથી અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy