આવતીકાલે નરસિંહ જયંતી : મહત્વ

Dharmik | Rajkot | 10 May, 2025 | 03:09 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા. 10
કાલે વૈશાખ વાદ ચૌદસને રવિવાર તા 11ના દિવસે નરસિંહ જયંતી છે ભગવાન નરસિંહ એટલે વિષ્ણુ ભગવાનના પાંચમા અવતાર ભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાને અવતાર લીધેલો  એટલે કે આસુરી શક્તિને દૂર કરવા ભગવાને અવતાર લીધેલો નરસિંહ ભગવાનની ઉપાસના રક્ષા માટે શત્રુ દૂર કરવા માટે કોર્ટ કચેરી વિજય માટે કરવામાં આવે છે નરસિંહ જયંતીના દિવસે નરસિંહ ભગવાનનો પૂજન કરવાથી શત્રુઓ દૂર થાય છે.

નરસિંહ ભગવાનની પૂજા
નરસિંહ ભગવાનની પૂજા સવારે સ્નાન કરી ત્યારબાદ એક બાજુ અથવા પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી તેના ઉપર ઘઉંની ઢગલી કરી નરસિંહ ભગવાનની છબી અથવા તો સોપારી રાખવી એક બાજુમાં પાણીનો ભરેલો લોટો અથવા કળશ રાખવો બાજુમાં દીવો અગરબત્તી કરી નરસિંહ ભગવાનને કંકુનો ચાંદલો ચોખા કરી અબીલ ગુલાલ કંકુ અર્પણ કરવા પીળું ફૂલ અર્પણ કરવું નરસિંહ ભગવાનના મંત્ર જાપ કરવા ત્યારબાદ શ્રીફળ અથવા સોપારી અર્પણ કરી અને ગોળ ધરાવવો અડદની દાળ ભરાવી આરતી કરી અને પ્રાર્થના કરવી ત્યારબાદ પાણી ભરેલો લોટો અથવા કળશ આખા ઘર માં બાથરૂમ ની જગ્યા સિવાય બધે છાંટી દેવુંઆ પૂજન વૈદિક મંત્રચાર સાથે વિધિવત બ્રાહ્મણ પાસે પણ કરાવી શકાય છે
મંત્ર જપ :  ૐ ઉગ્રં વીરં મહાવિષ્ણું જ્વલન્તં સર્વતોમુખમ્
- શાસ્ત્રી રાજદીપ જોશી(વેદાંત રત્ન)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj