(ગની કુંભાર) ભચાઉ,તા.24
ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ તથા પીર નકીમીયા (રહ.) મોતીયોવાલા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા અંજાર મધ્યે પહેલગામ (કાશ્મીર) ના આતંકી હુમલા માં મૃતકો ને શ્રધાંજલિ સભા સાથે કેન્ડલ માર્ચનું આયોજન કરાયું.
અંજાર, તા. 23/04/2025 ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ તથા પીર નકીમીયા (રહ.) મોતીયોવાલા સાર્વજનિક ટ્રસ્ટ સંસ્થાઓ દ્વારા અંજાર શહેર મધ્યે આવેલ પીર નકીમીયા (રહ.) મોતીયોવાલા ની દરગાહ મધ્યે કાશ્મીર ના પહેલગામ માં થયેલ આતંકી હુમલા માં મૃત્યુ પામેલ પર્યટકો ને શ્રધાંજલિ અર્પિત કરાઈ હતી તેમજ તેમના પરિવારજનો માટે સંવેદનાઓ વ્યક્ત કરાઈ હતી.
મૃતકો ના શોકમાં સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. ઇત્તીહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરીયા તથા પીર નકીમીયા (રહ.) મોતીયોવાલા સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ હાજી અનવરશા બાવા તેમજ સામાજિક આગેવાનો સાદીક્ભાઈ રાયમાં, હાજી ભચલશા શેખ, હાજી હુશેનભાઈ આગરીયા, હાજી રમઝાનભાઈ બાયડ, અમીરઅલી રાયમાં, સહિતનાઓ એ આ નિંદનીય બનાવ ને સખ્ત શબ્દોમાં વખોડી ભારત સરકાર ને આતંકવાદીઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરી આતંકવાદ ને નેસ્તનાબુદ કરવા આહ્વાન કર્યું હતું.
વિશેષ માં હાજી જુમાભાઈ રાયમાં તથા હાજી મોહંમદભાઈ આગરીયા તથા સૈયદ અનવરશા બાપુએ વિશેષમાં જણાવ્યું હતું કે આ આતંકવાદી હુમલો દેશની એકતા અને અખંડિતતા પર હુમલો કરવાનો પ્રયાસ છે. આપણો દેશ અનેકતામાં એકતાનું પ્રતીક છે અને દેશની આવી એકતા અને અખંડિતતાને તોડવા માટે કેટલાક માનવતા વિરોધી તત્વો દ્વારા આ એક નિરર્થક પ્રયાસ છે.
આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય હોતો નથી. માનવતા વિરુદ્ધ લેવાયેલું કોઈપણ પગલું એક પ્રકારનો આતંકવાદ જ છે. ભારત અને આતંકવાદ એક જટિલ અને સંવેદનશીલ વિષય છે. ભારત જે તેની સાંસ્કૃતિક વિવિધતા અને લોકશાહી મૂલ્યો માટે જાણીતો દેશ છે તે ઘણા દાયકાઓથી આતંકવાદનો સામનો કરી રહ્યો છે. આતંકવાદના વિવિધ સ્વરૂપોએ ભારતની સુરક્ષા, સામાજિક માળખા અને વિકાસને અસર કરી છે.
ભારતે આતંકવાદ સામે મજબૂત પગલાં લીધાં છે, પરંતુ તે એક બહુ-પરિમાણીય સમસ્યા છે જેને લશ્કરી, સામાજિક અને રાજદ્વારી પ્રયાસોના સંકલનની જરૂર છે. ભારતની એકતા અને વિવિધતા તેની સૌથી મોટી તાકાત છે, અને આતંકવાદ સામે લડતી વખતે તેને જાળવી રાખવી એ દેશની પ્રાથમિકતા છે.
આ કેન્ડલ માર્ચ કાર્યક્રમ માં હાજી મોહંમદભાઈ આગરીયા, હાજી અનવરશા સૈયદ, હાજી ભચલશા શેખ, હાજી હુશેનભાઈ અગરિયા, સાદીક્ભાઈ રાયમા, હાજી રમઝાનભાઈ બાયડ, અમીરઅલી રાયમાં, ઝાફરશા સૈયદ, મૌલાના મુબારક જત, સૈયદ નુસરત બાપુ, ફારૂકભાઈ છરેચા, ઇકબાલભાઈ મેમણ, શરીફભાઈ લાડકા, રાહિલ બાયડ, અશરફ જત, રજાક જત, હનીફભાઈ નોડે, સલીમભાઈ સમેજા, હનીફ સમેજા, મુખ્તાર જત, રફીક કુંભાર, નવાઝ જત, ફૈઝલ જત, ઈબ્રાહીમભાઈ, અલ્તાફ નોડે, ફિરોઝભાઈ સમેજા, સુલેમાનભાઈ રાયમા સહિતનાઓ ઉપસ્થિત રહી મૃતકો ને શ્રધાંજલિ અર્પી તેમના પરિવાર પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરી હતી અને આ દુ:ખ ની ઘડી માં આતંકવાદ વિરોધી ચળવળ માં દેશનો મુસ્લિમ સમાજ પણ દેશની સાથે છે તેવું અહવાન કર્યું હતું. એવું સંસ્થા ના પ્રવક્તા જલાલશા સૈયદ ની યાદીમાં જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy