રાજકોટ, તા.9
ગઈકાલે તા. 8/5ના રોજ રાજકોટના વેલનાથપરા રેલવે બ્રિજ પાસે આશરે 40 વર્ષનો અજાણ્યો પુરુષ ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલ. જેને બિલેશ્વર રેલવે સ્ટેશન લાવતા 108ના ઇએમટી અક્ષયભાઈ બાંભણીયાએ જોઈ તપાસી તેને મૃત જાહેર કરેલ.
બી. ડિવિઝન પોલીસના એએસઆઈ કે. વી. ગોહિલ અને તેમની ટીમે અજાણ્યા પુરૂષનાં મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી. કોઈ વાલી વારસ હોય તો બી. ડિવિઝન પોલીસ મથક રાજકોટનો સંપર્ક કરવા જણાવાયું છે.
બીજા બનાવમાં સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ 19-04-2025 ના રોજ એક વૃદ્વ કનકભાઈ મનાભાઈ રાજકોટ રેલવે સ્ટેશનથી કોઈ બીમારી સબબ દાખલ થયેલ. તેમનું સારવાર દરમિયાન તારીખ 19-4-2025 ના રોજ મૃત્ય થયેલ છે. પોલીસે તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. કોઈ વાલી વારસ હોય તો સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક મો.8980800271 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy