(ગની કુંભાર)
ભચાઉ, તા.8
રાપર તાલુકાનાં પલાંસવા ગામે ગઈકાલે તળાવ પાસેના કૂવામાં કપડા ધોવા ગયેલી નવાપરાવાસની બે કિશોરી સંતોકબેન દેવશીભાઈ ભરવાડ (13) અને મીના મશરૂભાઈ ભરવાડ (14)નો પગ લપસતાં પાણીમાં ગરક થતા ડૂબવાથી કરૂણ મોત નીપજ્યા છે.
આ બનાવથી ગામમાં અરેરાટી વ્યાપી હતી. આ કરુણ બનાવ અંગે આડેસર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ પલાંસવાના નવાપરાવાસમાં રહેતી બે કિશોરી સંતોકબેન અને મીના ગઈકાલે સવારે ગામના તળાવ પાસે આવેલા કૂવામાં કપડાં ધોવા ગઈ હતી. કપડાં ધોતી વખતે પગ લપસી જતા બંને પાણીમાં ગરક થઈ જતા ડૂબી ગઈ હતી.
બંનને સારવાર અર્થે ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાતા ફરજ પરના ડો. જશરાજ નાધાણીએ મૃત જાહેર કર્યા હતા. એક સાથે બે તરુણીનાં મોતને લઈ ગામમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ હતી. આડેસર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy