શહેરના 150 ફુટ રિંગ રોડ પર આંબેડકર નગરમાં રહેતા બે યુવકે માલવિયા નગર પોલીસ સ્ટેશન નજીક જ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ 150 ફૂટ રીંગ રોડ પર આંબેડકર નગરમાં રહેતાં અનિલ પરસોત્તમભાઈ ચૌહાણ (ઉ.વ.30) અને મૌલિક મનોજભાઈ રાઠોડ (ઉ.વ.20) બંને યુવકે ગઈ કાલ રાત્રિના 10 વાગ્યાં આસપાસ માલવિયા નગર પોલીસ સ્ટેશનની નજીક ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
બાદ બંનેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ક્યાં કારણોસર ફિનાઈલ ગટગટાવ્યુ તે હજું જાણવા મળેલ નથી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે માલવીયા નગર પોલીસને જાણ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy