(કેશુભાઇ માવદીયા)
માધવપુર, તા. 26
માધવપુર (ઘેડ) ગામે ભરઉનાળાની ઋતુમાં ગ્રામ પંચાયત દ્વારા પુરતા પ્રમાણમાં પાણી વિતરણ કરવાના બદલે પાણી વિતરણ સદંતર ઠપ્પ કરી દેતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે ગામના સરપંચ વિનુભાઇ ભુવા અને તલાટી મંત્રી ગજેન્દ્ર લાડવાને રજુઆત કરવા છતાં પાણી વિતરણ શરૂ કર્યુ નથી.
સાગર શાળા વિસ્તારમાં પીવાના પાણી માટે વર્ષો જુનો કુવો છે. જે પણ જર્જરીત થતા પાણી સિંચવા માટે અકસ્માતે પડી જવાનો ડર લાગે છે. ગ્રામ પંચાયતના નળમાં પાણી નહીં આવતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામ પંચાયત સત્તાધીશો તાકીદ ઘટતી કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy